અમદાવાદની પ્રકાશ મનોદિવ્યાંગ શાળાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બાળકોને તાલીમ આપવાની કામગીરીને બિરદાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવ ખાતેની પ્રકાશ મનોદિવ્યાંગ નિવાસી શાળાની મુલાકાત લઈ, શાળા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપવાની કામગીરીને ઉત્તમ સેવા સાથે સરખાવી હતી.

મુખ્યમંત્રી ઉતરાયણ પર્વ પૂર્વે મંગળવારે સવારે બોડકદેવની આ મનોદિવ્યાંગ શાળામાં પહોંચ્યા હતા. તેમણે સ્નેહસભર વડીલ વાત્સલ્ય ભાવથી મનોદિવ્યાંગ બાળકોને મિઠાઈ વિતરણ કરીને ઉતરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મનોદિવ્યાંગ બાળકોએ પણ મુખ્યમંત્રી સમક્ષ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજુ કરી હતી. મુખ્યમંત્રીએ મનોદિવ્યાંગ બાળકોને રોજિંદા અને સામાજિક કાર્યો કરવાની તાલીમ આપવાની સંસ્થાની કામગીરીની પણ સરાહના કરી હતી.

સંસ્થાના ટ્રસ્ટી ડૉ. સુજાતાબેન શાહે સંસ્થાની વિવિધ કામગીરીની વિગતો આપતાં જણાવ્યું કે સંસ્થાની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં કુલ 1500 કરતાં વધુ બાળકોએ આ શાળામાં અભ્યાસ કર્યો છે તેમજ હાલ પણ 100 જેટલાં બાળકોને અક્ષરો, રંગો, આકૃતિઓ ઓળખવા ઉપરાંત ફિઝિયો સહિતની તાલીમ આપવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે શાળાનાં બાળકો વિવિધ ખેલ પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. જે અંતર્ગત ગત મહિને અમેરિકાના પ્યુર્ટોરિકા ખાતે આયોજિત યુનિફાઇડ ઓલિમ્પિક બાસકેટ બોલની કોમ્પિટિશનમાં શાળાના હિત સાવંત નામના વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે કુલ ૨૭ જેટલા વિદ્યાર્થીઓએ રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીયકક્ષાએ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે શાળાનાં બાળકો દ્વારા નાટ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી. આ પ્રસંગે ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સહિતના મહાનુભાવો તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…