બ્રિટનની અમીરોની યાદી જાહેર: કિંગ ચાર્લ્સ અને સુનક સમાન સંપત્તિ સાથે, હિન્દુજા પરિવાર ફરી ટોચ પર

બ્રિટનની અમીરોની વર્ષ 2024 માટેની યાદી જાહેર થઈ ગઈ છે, જેમાં ભારતીય મૂળના હિન્દુજા પરિવારે ફરી એક વખત ટોચની પદવી મેળવી છે. તેમ જ, બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા અને પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક હવે સમાન સંપત્તિ ધરાવતા ધનિકોની યાદીમાં જોડાયા છે.

કિંગ ચાર્લ્સ ત્રીજા: 640 મિલિયન પાઉન્ડની કુલ સંપત્તિ
76 વર્ષીય રાજા ચાર્લ્સ ત્રીજાની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં અંદાજે £30 મિલિયનનો વધારો થયો છે, જેના કારણે તેમની કુલ સંપત્તિ £640 મિલિયન થઈ છે. આ વૃદ્ધિ સાથે તેઓ ધનિકોની યાદીમાં 20 સ્થાનો ઉછળી 238મા સ્થાન પર પહોંચી ગયા છે. તેઓ હવે ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિની જોડીને સરખી સ્તરે છે.

છતાં, રિપોર્ટ મુજબ, કિંગની મોટાભાગની સંપત્તિ તેમની વ્યક્તિગત માલિકીની નથી. તેમનાં બે મોટા એસ્ટેટ બાલમોરલ અને સેન્ડ્રિંગહામ તેમને માતા રાણી એલિઝાબેથ II પાસેથી વારસામાં મળ્યા છે. બીજી તરફ, ક્રાઉન એસ્ટેટમાંથી મળતા નફામાં પવન ઉર્જા ફાર્મ લાઈસન્સના કારણે બમણો વધારો થયો છે, જે શાહી ખર્ચ માટે ઉપયોગ થાય છે.

હિન્દુજા પરિવાર સતત ટોચ પર
£35.3 બિલિયનની અંદાજિત સંપત્તિ સાથે હિન્દુજા પરિવાર બ્રિટનની સૌથી ધનિક વ્યક્તિઓમાં પ્રથમ ક્રમે યથાવત રહ્યો છે. જો કે મે 2024 પછી, તેમના નેટ વર્થમાં £2 બિલિયનનો ઘટાડો થવાની સંભાવના છે.

અન્ય ભારતીય મૂળના અબજોપતિઓ પણ ટોચના 10માં

  • રૂબેન ભાઈઓ – £26.87 બિલિયન સાથે દ્વિતીય સ્થાન
  • લક્ષ્મી મિત્તલ (આર્સેલરમિત્તલ)
  • અનિલ અગ્રવાલ (વેદાંત)
  • પ્રકાશ લોહિયા (ટેક્સટાઇલ)
  • મોહસીન અને ઝુબેર ઇસા (રિટેલ)
  • નવીન વર્ધા એન્જિનિયર (ફાર્મા)

આ યાદીથી જણાયું છે કે બ્રિટનમાં ભારતીય મૂળના ધનિકોનું પ્રભાવ વધતું જઈ રહ્યું છે, જયારે બ્રિટિશ અબજોપતિઓની સંખ્યામાં 37 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. 2024ની યાદીમાં કુલ 156 અબજોપતિઓનો સમાવેશ થયો છે.

Related Posts

ટોક્યો પરનો ભાર ઘટાડવા જાપાનમાં ‘બીજી રાજધાની’ બનાવવાની તૈયારી

જાપાન સરકારે દેશની વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ane ટોક્યો પરનો વધતો ભાર ઘટાડવા એક મહત્વપૂર્ણ યોજના પર આગળ વધવાનું નક્કી કર્યું છે. સરકાર દ્વારા જાપાનમાં એક ‘બીજી રાજધાની’ (Second…

2026 : ઉપવાસ માટે પરફેક્ટ: પૌષ્ટિક અને હેલ્ધી મખાણા ખીર રેસિપી Rich & Creamy

Makhana Kheer Recipe in Gujarati: શ્રાવણના ઉપવાસ માટે હેલ્ધી, ટેસ્ટી અને એનર્જીથી ભરપૂર મખાણા ખીર બનાવવાની સરળ રીત શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ અને આધ્યાત્મિક સાધનાનો પવિત્ર સમય માનવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *