નવા વર્ષમાં ગુજરાત પોલીસને મોટી ભેટ: 2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં બઢતી

ગુજરાત સરકારના ગૃહ વિભાગે નવા વર્ષ 2026ના પ્રારંભે જ રાજ્યના પોલીસ પ્રશાસનમાં મહત્વનો નિર્ણય લીધો છે. 2013 બેચના 7 આઈપીએસ અધિકારીઓને ‘સિલેક્શન ગ્રેડ’માં બઢતી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યપાલના આદેશ મુજબ પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.

આ બઢતી હેઠળ સંબંધિત અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-13 (રૂ. 1,23,100 થી 2,15,900)નું ઉચ્ચ પગાર ધોરણ ફાળવવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્ય પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સિલેક્શન ગ્રેડમાં બઢતી મેળવનારા IPS અધિકારીઓની યાદી:
1. રાહુલ ત્રિપાઠી – ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (S.O.G.), અમદાવાદ શહેર
2. હિમકર સિંહ – ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઇકોનોમિક વિંગ), અમદાવાદ શહેર
3. રોહન આનંદ – સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એન્ટી ઇકોનોમિક ઓફેન્સ વિંગ), CID ક્રાઇમ, ગાંધીનગર
4. યશપાલ ધીરજભાઈ જગાણીયા – સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (વેસ્ટર્ન રેલવે), અમદાવાદ
5. મનીષ સિંહ – હાલ કેન્દ્રીય ડેપ્યુટેશન પર એસપી (BPR & D), નવી દિલ્હી (પ્રોફોર્મા બઢતી)
6. એમ. જે. ચાવડા – સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગર
7. ઉષા બી. રાડા – સુપ્રિટેન્ડન્ટ, મધ્યસ્થ જેલ, વડોદરા

ગૃહ વિભાગના આદેશ અનુસાર આ બઢતી 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. નવા વર્ષના પ્રથમ દિવસે જ થયેલી આ જાહેરાતને કારણે પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સંબંધિત કચેરીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રાજકોટ અને જસદણ તાલુકાના કુલ ૧૧૫ ગામના ૩,૪૮,૮૪૨ નાગરિકોને શુદ્ધ પાણી મળી રહ્યું છે: મંત્રીઈશ્વરસિંહ પટેલ

રાજકોટ : વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી…

વડનગર: અનુભવાત્મક જ્ઞાન કેન્દ્ર, ગૌ સંરક્ષણ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકાસનું આદર્શ મોડલ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર, રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે…