Bharuch : આમોદ તાલુકાના કેરવાડા ગામે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ, જોવા મળ્યું કોમી એકતાનું ઉદાહરણ

અકબર બેલીમ, આમોદ / આમોદ તાલુકાના કેરવાડા ગામે કેરવાડા અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (AVCT) તથા રેડ ક્રોસ બ્લડ બેંક, ભરૂચના સહયોગથી આજે AVCT કેન્દ્ર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં કેરવાડા સહિત કોલવણા, તણછા, આમોદ, પખાજણ વગેરે ગામોના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું. ખાસ નોંધનીય બાબત એ રહી કે હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ એકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી.

ટ્રસ્ટના મંત્રી ડૉ. યોગેશભાઈ કોઠારીના સંયોજનમાં 1995માં પ્રથમ વખત રક્તદાન કરનાર અને અત્યાર સુધીમાં 96 વખત રક્તદાન કરી રાજ્યપાલના હસ્તે સન્માનિત થયેલા દાહોદ જિલ્લાના રક્તદાતા અમિતભાઈ નાથાણી તથા કેરવાડાના મુસ્લિમ અગ્રણી મુમતાજખાનના હસ્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમિતભાઈ નાથાણીએ આ કેમ્પમાં કેરવાડા ગામે પોતાનું 96 મું રક્તદાન કરી સૌને પ્રેરણા આપી હતી.

સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના વાઈસ ચેરમેન સંજયસિંહ રાજ, તણછા ગામના આગેવાન સિદ્ધરાજસિંહ વાંસદિયા, કેરવાડા ગામના મહિલા સરપંચ વિલાસબેન સંજયસિંહ રાજ સહિતના આગેવાનો અને ગ્રામજનોએ રક્તદાન કરી સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કેમ્પને સફળ બનાવવા માટે અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (AVCT) કેરવાડાના પ્રમુખ સંગ્રામસિંહ કપલેટિયા, ઉપપ્રમુખ સંજયસિંહ રાજ, મંત્રી ડૉ. યોગેશભાઈ કોઠારી, ખજાનચી દર્શનસિંહ રાજ, ગણેશ યુવક મંડળ, કેરવાડા મુસ્લિમ યુથ ક્લબ તથા અંબાજી મહિલા મંડળે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

રક્તદાતાઓને આપવામાં આવી ભેટ
સમગ્ર દિવસ દરમિયાન કેરવાડા ગામના વહીદખાને રક્તદાતાઓ માટે સરબતની સેવા ઉપલબ્ધ કરાવી હતી. કાર્યક્રમનું સંચાલન રવિભાઈ ગોસ્વામીએ કર્યું હતું અને સંકટ સમયે રક્તદાનની ઉપયોગિતાની માહિતી આપી હતી. રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ તથા AVCT ટ્રસ્ટ તરફથી તમામ રક્તદાતાઓને ભેટ આપવામાં આવી હતી.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

જ્યારે ભક્તના વિશ્વાસને ખાતર સાક્ષાત દ્વારકાધીશ બન્યા ‘શામળશા શેઠ’: નરસિંહ મહેતાની હુંડીનો અદભૂત પ્રસંગ

જૂનાગઢ: ગુજરાતની પવિત્ર ભૂમિ સંતો અને શૂરવીરોની ગાથાઓથી ગુંજતી રહી છે. આ ભૂમિ પર અનેક ભક્તો થયા, જેમણે પોતાની ભક્તિથી પરમાત્માને પૃથ્વી પર આવવા મજબૂર કર્યા. આજના આધુનિક યુગમાં, જ્યારે…

અમદાવાદમાં ઓટોરિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25, પ્રતિ કિમી ₹20; મુસાફરોમાં નારાજગી

અમદાવાદમાં વધતા CNGના ભાવ વચ્ચે ઓટોરિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાડામાં સુધારાની માંગ કરી રહેલા રિક્ષા ચાલકોને રાહત આપતા ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડા દરોને મંજૂરી આપી છે.…