બંગાળ: લાયક ઉમેદવારોની યાદી જાહેર ન થવાથી શિક્ષકો ગુસ્સે, WBSSC મુખ્યાલયનો ઘેરાવ

પશ્ચિમ બંગાળમાં શિક્ષણ જગતમાં વિવાદ ઊભો થયો છે, જ્યાં 2016ની શાળા સેવા ભરતી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો અને નોકરી કરતા શિક્ષકોની લાયકાત યાદી જાહેર ન થતા શિક્ષકો રોષે ભરાયા છે. આ મુદ્દે West Bengal School Service Commission (WBSSC)ના મુખ્ય મથક સામે રવિવાર રાત્રિથી વિશાળ હડતાળ અને ઘેરાવ શરૂ થયો છે.

લાયક ઉમેદવારોની યાદી ન મળતાં ભડક્યા શિક્ષકો
શિક્ષકોની માંગ છે કે WBSSC 2016ની ભરતીમાં પાસ થયેલા તમામ લાયક ઉમેદવારોની યાદી તરત જાહેર કરે. જો કે, સોમવારે સાંજે 6 વાગ્યા સુધી પણ આ યાદી જાહેર થઈ નહોતી, જેના કારણે હજારો વિરોધકારીઓ ગુસ્સે થઈ ગયા. વિરોધ વધતા શિક્ષકોએ WBSSCના આચાર્ય સદન સ્થિત મુખ્યાલયને ઘેરાવ કર્યો અને બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા વિરોધકારીઓને રોકવાની કોશિશ દરમ્યાન તીવ્ર ઘર્ષણ પણ જોવા મળ્યું.

મંડળના ચેરમેનને ઓફિસમાંથી નીકળતા અટકાવ્યા
વિરોધકારીઓએ SSCના ચેરમેન સિદ્ધાર્થ મજુમદાર અને અન્ય અધિકારીઓને ઓફિસમાંથી નીકળતા અટકાવ્યા. તેઓએ અન્ય એક શિક્ષણ મંડળ પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડ (ડેરોઝિયો ભવન)ના અધ્યક્ષ રામાનુજ ગાંગુલીને પણ ઘેરાવ કર્યો. આશરે 2,000થી વધુ શિક્ષકો WBSSCના ઓફિસ સામે રસ્તો બ્લોક કરીને બેઠા છે. વિરોધકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે “જ્યાં સુધી લાયક ઉમેદવારોની યાદી જાહેર નહીં થાય, ત્યાં સુધી છૂટશે નહીં”

વિવાદનું મૂળ: કાઉન્સેલિંગ રાઉન્ડને લઈ ઉકેલ નહિં
SSC દ્વારા સ્પષ્ટ કરાયું છે કે કુલ 12 કાઉન્સેલિંગ રાઉન્ડમાંથી માત્ર પ્રથમ ત્રણને માન્ય માનવામાં આવશે, જેનો અર્થ છે કે ચોથા રાઉન્ડ બાદ ભરતી થયેલા શિક્ષકો લાયક ઉમેદવારોમાં સામેલ નહીં ગણાય. આ નિર્ણયથી અનેક નોકરી કરતા શિક્ષકો પણ સંશયમાં મૂકાઈ ગયા છે અને તેમણે પણ વિરોધમાં ભાગ લીધો છે. હજી સુધી WBSSC તરફથી સ્પષ્ટ વચન મળ્યું નથી. જો કે, શિક્ષક સંઘોએ જણાવ્યું છે કે તેઓ આંદોલનને રાજ્યવ્યાપી બનાવવા માટે તૈયાર છે.

Related Posts

મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

જ્યારે ‘સરકારી આશ્રય’ બન્યો ‘માતૃછાયા’: સખી વન સ્ટોપ સેન્ટરની કાર્યપદ્ધતિ પાછળની અજાણી સંવેદના

અમદાવાદ: કહેવાય છે કે “ગુજરાત સુરક્ષિત છે”, અને આ વાતની પ્રતીતિ ફરી એકવાર અમદાવાદના સોલા સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અને ‘181 મહિલા હેલ્પલાઈન’ ની ટીમે કરાવી છે. ઉત્તર પ્રદેશના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *