મન ફાવે ત્યારે Dolo 650 લેતા હો તો ચેતજો! સ્વાસ્થ્ય પર થઈ શકે છે ગંભીર અસર

ભારતમાં Dolo 650 નામની ટેબ્લેટ ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. તાવ કે શરીરના દુખાવા સમયે લોકો તેનું સેવન એટલી સહેલાઈથી કરે છે કે જાણે કે તે કોઈ સામાન્ય કૅન્ડી હોય. પણ શું તમે જાણો છો કે ડૉક્ટરની સલાહ વિના લેવાયેલી Dolo 650 તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે?

Dolo 650 શું છે?
Dolo 650 એ પેરાસીટામોલ આધારિત દવા છે, જે તાવ અને સામાન્ય દુખાવા માટે આપવામાં આવે છે. પણ એક નિશ્ચિત માત્રામાં અને ડૉક્ટરની માર્ગદર્શન હેઠળ જ તેનું સેવન કરવું જોઈએ.

Dolo 650ની આડઅસરો
1. અંતરડાને નુકસાન:
જાતે જ દવા લેતા આંતરડાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. પેટમાં દુખાવો, ગેસ, અપચો જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

2. થાક અને નબળાઈ:
કેટલાક લોકોમાં આ દવાથી વધુ ઉંઘ, થાક અને શરીરમાં નબળાઈ આવી શકે છે.

3. ઉલટી અને ઉબકા:
જેઓને પેરાસીટામોલ સહન ન થાય, તેમને ઉલટી, ઉબકા અને પાચન તંત્રની સમસ્યાઓ થઈ શકે છે.

4. ચક્કર અને લો બ્લડ પ્રેશર:
વારંવાર ઉપયોગ કરવાથી બીપી ઘટી શકે છે, અને ચક્કર આવવા લાગે છે.

જાતે દવા લેવી – ખોટી ટેવ
ભારત જેવા દેશમાં મોટાભાગના લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના દવાઓ લઈ લે છે. પણ Dolo 650 જેવી દવા રોજબરોજમાં અને મનફાવે ત્યારે લેવાથી શરીરના અંગો પર નુકસાનકારક અસરો પડી શકે છે, ખાસ કરીને લિવર અને કિડની પર.

શું કરવું જોઈએ?
– હંમેશા Dolo 650 લેતા પહેલા ડૉક્ટરનો સલાહ લો
– કોઈ પણ તાવ કે દુખાવાની શરુઆતમાં તરત દવા ન લો, પહેલાં તાપમાન ચેક કરો
– તાવ સતત વધી રહ્યો હોય કે 3 દિવસથી વધુ રહે, તો તબીબી તપાસ કરાવવી જરૂરી છે

Related Posts

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને…

T 20 વર્લ્ડ કપનો તાજ કોના શિરે.? | GUJARATI NEWS BULLETIN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *