2 વર્ષથી નાના બાળકોને કફ સિરપ આપવાથી બચો: કેન્દ્ર સરકાર દ્વારા કડક એડ્વાઈઝરી

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના સેવનથી બાળકોના મોતના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે મોટા પગલા લીધાં છે. આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) દ્વારા દેશભરમાં કડક એડ્વાઇઝરી જાહેર કરી છે. ખાસ કરીને 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની ચેતવણી આપવામાં આવી છે.

શું કહે છે એડ્વાઈઝરી?
– DGHSના જણાવ્યા પ્રમાણે:
– 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદી માટે કફ સિરપ ન આપવો.
– સામાન્ય રીતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ કફ સિરપની ભલામણ નથી.
– દવાનો ઉપયોગ ડૉક્ટરની સલાહ વગર ન કરવો.
– દવા આપતી વખતે માત્રા, સમયગાળો અને દવાની ગુણવત્તા વિશેષ ધ્યાનમાં લેવી.

કેટલાં મોત થયા?
– મધ્યપ્રદેશના છિંદવાડામાં 9 બાળકોના મોત
– રાજસ્થાનમાં 2 બાળકોના મોત
– બંને રાજ્યોમાં ColdRif અને Nesto DS Syrup પર તાત્કાલિક પ્રતિબંધ મુકાયો છે.
– રાજ્યના આરોગ્ય વિભાગે નમૂનાઓ કેન્દ્ર સરકારને તપાસ માટે મોકલ્યા છે.

કઈ દવા પર શંકા?
– મૃત્યુના કેસમાં “ColdRif” કફ સિરપ સામે ગંભીર શંકા ઉઠી છે. જોકે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર “હાલના ટેસ્ટ રિપોર્ટમાં DEG (Diethylene Glycol) કે EG (Ethylene Glycol) જેવી જીવલેણ રસાયણિક પદાર્થોની હાજરી જોવા મળતી નથી.” હાલમાં અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તપાસ ચાલુ છે અને દરેક સંભાવિત કારણોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રની કાર્યવાહી
– આરોગ્ય મંત્રાલયે NCDC, NIV અને CDSCO સહિતના તજજ્ઞો સાથે સંયુક્ત તપાસ ટીમ બનાવી છે.
– ટીમે સ્થળ પર જઈ નમૂનાઓ એકત્ર કર્યા છે – જેમાં પાણી, શ્વાસન, દવાઓ અને વાતાવરણના નમૂનાઓ સામેલ છે.
– ફાર્મસી પર વેચાતા કફ સિરપ પર ખાસ નજર રાખવા પણ જણાવ્યું છે.

વાલીઓ માટે ચેતવણી
– બાળકોને કોઈપણ દવા આપતા પહેલા ડોક્ટરનો પરામર્શ અવશ્ય લો.
– અજાણ્યા બ્રાન્ડના કફ સિરપ કે ઘરેલું ઉપચારોથી દૂર રહો.
– બાળકો માટે દવા આપતી વખતે ડોઝ, ઉમર અને અવધિનું પાલન કરો.
– સ્થાનિક કેમિસ્ટ પર દવા ખરીદતી વખતે લેબલ, બેચ નંબર અને સમાપ્તી તારીખ તપાસો.

સાવચેતી અને જાગૃતિથી જ જીવ બચી શકે
દેશભરમાંથી વારંવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. DGHSની એડ્વાઈઝરીના પાલનથી નાના બાળકોના જીવ બચી શકે છે. વાલીઓએ હવે વધુ જાગૃત થવાની જરૂર છે અને દવા આપતી વખતે દરેક પગલું વિચારપૂર્વક અને સાવચેત લઈ લેવામાં આવવું જોઈએ.

Related Posts

મુંબઈ-પુણે વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, માત્ર 48 મિનિટમાં પૂર્ણ થશે 170 કિમીની મુસાફરી

દેશમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણને લઈને કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાહેરાત કરી છે કે આગામી વર્ષથી મુંબઈ-પુણે બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્યની…

ઈરાન-અમેરિકા તણાવ ફરી વધ્યો? હોર્મુઝ જળમાર્ગને લઈને વૈશ્વિક બજારોમાં ચિંતા

મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચેની સંભવિત શાંતિ ચર્ચાઓ અંગે નવા અહેવાલો સામે આવ્યા છે. કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને દેશો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *