35,000 km ની સાયકલ યાત્રાએ નીકળેલ અવિનાશનું સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજે કર્યું વિશેષ સન્માન

સનાતન ધર્મના જ્વલંત પ્રણેતા બની એક સાહસિક યાત્રાળુ, બિહારના પુનિયા જિલ્લાના અવિનાશ જાએ 35,000 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા શરૂ કરી છે. આ યાત્રાનો ઉદ્દેશ માત્ર યાત્રા નથી, પણ તે છે આસ્થા, સંસ્કાર અને ભારતીય પરંપરાની દીક્ષા જગાવવાનો છે. તે સાયકલ પર સુરેન્દ્રનગર આવી પહોંચતા બ્રહ્મ સમાજની વાડી ખાતે તેમનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો.

અવિનાશજાએ બાર જ્યોતિર્લિંગ, ચારધામ અને 44 શક્તિપીઠની પવિત્ર યાત્રા માટે સાયકલ પર પંથ શરૂ કર્યો છે. અત્યાર સુધી તેઓ 11,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ચૂકી છે અને હાલમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના બ્રહ્મ સમાજની વાડીમાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર પહોંચતા અવિનાશજાનું બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત સનાતન સમાજ દ્વારા આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું.

અવિનાશજાની યાત્રા આગળ પણ યથાવત્ ચાલુ રહેશે અને ભવિષ્યમાં તેઓ અન્ય પવિત્ર સ્થાનોની મુલાકાત લેતા દેશભરના લાખો લોકો સુધી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંદેશ લઇ જશે.

રિપોર્ટર-અવધેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *