પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારતે પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે સક્રિય કૂટનીતિ (pro-active diplomacy) શરૂ કરી છે. ખાડી દેશોમાં તણાવના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઈન પર અસર પડવાની શક્યતા હોવાથી ભારતે મહત્વપૂર્ણ કૂટનીતિક પગલાં લીધા છે.
કતાર અને UAE સાથે ભારતની મહત્વપૂર્ણ ચર્ચા
હરદીપ સિંહ પુરી હાલમાં કતારની મુલાકાતે છે. ભારત તેની લગભગ 50% LNG જરૂરિયાત કતારથી આયાત કરે છે, તેથી આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંભવિત પુરવઠા અવરોધ ટાળવા લાંબા ગાળાના ઉર્જા કરારો પર ચર્ચા થઈ રહી છે. બીજી તરફ એસ. જયશંકર UAEની મુલાકાત લઈ રહ્યા છે. UAE ભારત માટે તેલ અને LPG સપ્લાયનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવાની ચર્ચા થઈ રહી છે.
ભારત માટે ઊર્જા સુરક્ષાનો મુદ્દો
– ભારત તેની લગભગ 50% LNG અને 60% LPG ખાડી દેશોમાંથી આયાત કરે છે
– સપ્લાય ચેઈન વિક્ષેપથી મોંઘવારી વધવાની શક્યતા રહે છે
– દરિયાઈ માર્ગોની સુરક્ષા પણ ચર્ચાનો મહત્વપૂર્ણ ભાગ છે
ભારતની વ્યૂહાત્મક કૂટનીતિ
ભારત હવે માત્ર પરિસ્થિતિ પર નજર રાખતું નથી, પરંતુ ઝડપી અને સક્રિય કૂટનીતિ દ્વારા પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા કરી રહ્યું છે. ખાડી દેશોમાં સ્થિરતા ભારતની ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





