ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થતા જ અંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ સર્જાઇ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી અમેરિકી સરકારના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે યુરોપિયન દેશો પર અગ્રેસિવ ટિપ્પણીઓ કરતાં આક્રોશ વ્યક્ત કર્યો.
અમેરિકી નાણામંત્રીની ચિંતા:
સ્કૉટ બેસેન્ટે જણાવ્યું કે, “અમારે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 25% થી લઈને 50% સુધી ટેરિફ લગાવ્યા, પરંતુ યુરોપિયન દેશો તેની સામે ઊભા રહેવાને બદલે ભારત સાથે વ્યાપારિક સોદાઓ કરી રહ્યા છે.” તેમણે યુરોપીયન દેશો પર આરોપ લગાવ્યો કે તેઓ રશિયાના તેલ માધ્યમથી પરોક્ષ રીતે પોતાના જ વિરુદ્ધ યુદ્ધનું ફંડિંગ કરી રહ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે યુએસ-ભારત વ્યાપાર વાટાઘાટો ધીમા રહી રહ્યા છે, જ્યારે યુરોપે બાજી મારી લીધી છે.
ભારત-ઈયુ ટ્રેડ ડીલની વિશેષતાઓ:
– આ વાટાઘાટો 2007થી ચાલી રહ્યા હતા, એટલે કે 18 વર્ષ પછી સફળતા મળી.
– આ ડીલ ભારતીય અર્થતંત્ર માટે સંતુલિત અને ભવિષ્યલક્ષી છે.
– ડીલથી બંને પક્ષો વચ્ચે રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થશે.
– હાલ કાયદાકીય તપાસ ચાલી રહી છે, અને વર્ષ 2026માં હસ્તાક્ષર થવાની સંભાવના છે.
પીએમ મોદી અને યુરોપિયન નેતાઓ વચ્ચે શિખર બેઠક:
આ ઐતિહાસિક કરારની ઔપચારિક જાહેરાત 27 જાન્યુઆરીએ ભારત-યુરોપિયન યુનિયન શિખર સંમેલનમાં કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. કરારને અમલમાં લાવવા માટે યુરોપિયન સંસદની મંજૂરી જરૂરી છે, જ્યારે ભારતમાં કેન્દ્રીય કેબિનેટની સંમતિ બાદ તે 2027ની શરૂઆતથી પ્રભાવી બની શકે છે.
ભારત વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા બનવાની દિશામાં દ્રઢપદે આગળ વધી રહ્યું છે. આ ડીલથી યુરોપ સાથેના વ્યાપાર સંબંધ મજબૂત થશે, જ્યારે અમેરિકાની આ નારાજગી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા સમીકરણો ઉભા કરી શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






