કરુર ભાગદોડમાં મૃતકોના પરિવારજનો અભિનેતા વિજય આપશે સહાય, જાણો શું કરી જાહેરાત

કરુરમાં થયેલી ભાગદોડ બાદ, તમિલગા વિત્ર કઝગમ (ટીવીકે) ના વડા અને અભિનેતા વિજયે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રેલીમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ₹20 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. ગઇકાલે તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડમાં  39 લોકોના મોત થયા હતા. CM એમકે સ્ટાલિને મૃતકોના પરિવારજનો માટે ₹10 લાખ વળતરની જાહેરાત કરી હતી.

શનિવારે અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. અંદાજ મુજબ 10,000 લોકો હાજર રહેશે. જોકે, ઉપસ્થિતોની સંખ્યા 27,000ને વટાવી ગઈ હતી. લોકો સવારથી જ વિજયની રાહ જોઈ રહ્યા હતા. તેઓ ગરમી, ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. અભિનેતા વિજય સાંજે 7 વાગ્યા પછી પહોંચ્યા. તેમના ભાષણ દરમિયાન લોકો બેભાન થઈને પડી જવા લાગ્યા, જેના કારણે નાસભાગ મચી ગઈ. લગભગ 39 લોકો માર્યા ગયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા. આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં પણ આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને કરુરમાં અભિનેતા અને ટીવીકેના વડા વિજયની રેલીમાં થયેલી ભાગદોડ બાદની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ શક્ય કેન્દ્રીય સહાયની ખાતરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ ઘટના અંગે તમિલનાડુ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) ના મહાસચિવ કે. પલાનીસ્વામીએ રવિવારે દાવો કર્યો હતો કે શનિવારે અહીં TVK ની રાજકીય રેલીમાં થયેલી ભાગદોડ પોલીસ અને વહીવટીતંત્રની સુરક્ષામાં ખામીઓનો પુરાવો છે.

પલાનીસ્વામીએ કહ્યું કે જો પોલીસ અને રાજ્ય સરકારે પૂરતી સાવચેતી રાખી હોત તો આવી “દુર્ઘટના” ટાળી શકાઈ હોત. આ અકસ્માતમાં 39 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને 51 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

“મીડિયા રિપોર્ટ્સ વિજયની તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) રેલીમાં સુરક્ષામાં ખામી હોવાના પુરાવા દર્શાવે છે. વીજળી ગુલ થવાથી ગભરાટ અને નાસભાગ મચી ગઈ. ટીવીકેએ તેના પક્ષના કાર્યકરોની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરીને સાવચેતીનાં પગલાં લેવા જોઈતા હતા, કારણ કે તેણે અત્યાર સુધીમાં ચાર રેલીઓ યોજી છે,” પલાનીસ્વામીએ અહીં પત્રકારોને જણાવ્યું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    માધવપુર ઘેડના લોકમેળામાં રેતી શિલ્પ મહોત્સવ – સંસ્કૃતિ અને કળાનું અનોખું સંગમ

    પોરબંદર : માધવપુર ઘેડ મેળો આ વર્ષે એક નવા રંગમાં રંગાઈ ગયો છે. અહીં યોજાયેલો રેતી શિલ્પ મહોત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ બનીને ઊભર્યો છે, જ્યાં કળા, ભક્તિ અને સંસ્કૃતિનું અદભૂત…

    રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: ડીલર એસોસિએશન પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો

    રાજકોટ શહેરમાં છેલ્લા દિવસોમાં ઈંધણની અછત અંગેની અફવા ફેલાવાઈ અને શહેરમાં અફરાતફરી સર્જાઇ હતી. આ મામલે રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *