સંબંધોને લાંછન લગાવાનો કિસ્સો, અમદાવાદમાં કળયુગી પુત્રએ કરી પિતાની હત્યા

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં સબંધોને લાંછન લગાવાનો કિસ્સો બન્યો છે. પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવી છે.

અમદાવાદના બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ વસાહતમાં રહેતા એક યુવકનો પિતા સાથે ઝઘડો થયો હતો અને તેમણે પિતાને ફેંટો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક તેની માતા સાથે ઝઘડો કરતા હોઈ તેના મોટાપુત્રએ હત્યા કરી દીધી હોવાનુ બહાર આવ્યુ છે. આ અંગે માતાએ પુત્રની સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી પુત્રની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીની કરી ધરપકડ
બાપુનગર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે. પુત્ર સોનુ શર્મા કોઈક કારણ સર પોતાના પિતાની હત્યા કરી હતી. અને ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. આ વાતની જાણ તેમના પરિવારને થઈ ત્યારે તેમને તાત્કાલિક પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી. અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આરોપી સોનુ શર્માની ધરપકડ કરવામાં આવી અને બાપુનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *