Botad : બોટાદમાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો

બોટાદના ગઢડામાં પોલીસે કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે.ઘટનાની જાણ થતા પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”

કોન્સ્ટેબલ પ્રહલાદ બાવળીયાનો આપઘાત :- મળતી માહિતી મુજબ, પોલીસ કોન્સ્ટેબલ પ્રહલાદ બાવળીયાએ આપઘાત કરી લેતા શોકની લાગણી છવાઈ છે. તો આપઘાત પાછળનું કારણ અકબંધ છે. તો ગઢડા પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ શરુ કરી છે. પોલીસે મૃતકનો ફોન જપ્ત કરીને વધુ કાર્યવાહી કરી છે. તો મૃતક પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી આવી નથી,કેમ આપઘાત કર્યો તેનું કારણ પોલીસ શોધી રહી છે.

આ પણ વાંચો :- Vadodara : વડોદરામાં ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા

આપઘાત પાછળનું કારણ અકબંધ :- પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે તેના ઘરે જ આપઘાત કર્યો છે. તો મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,તો પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામા આવશે,તો આપઘાતનું સાચું કારણ ત્યારે જ સામે આવશે જયારે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન, આ યોજના થકી હવાની ગુણવત્તા સુધારશે અને હરિત આવરણને કરશે વિસ્તૃત

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી, 2026: ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન…

આવતીકાલે ‘વર્લ્ડ રેડિયો ડે’ , જાણો આ વર્ષે કઈ થીમ પર થશે ઉજવણી ?

વર્લ્ડ રેડિયો ડે’: સ્ક્રીન વિના સંવાદ એટલે ‘રેડિયો’ ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *