રાજ્યમાં બે ગંભીર અકસ્માત, 4ના મોત, 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત

ગુજરાતમાં દિનપ્રતિદિન અકસ્માતમાં મોત થવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. પોરબંદર નજીક યાત્રાળુઓને અકસ્માત નડ્યો જ્યારે અન્ય દાદરા નગર હવેલીમાં અકસ્માતની ઘટના બની હતી. બંને અકસ્માતની ઘટનામાં કૂલ 4 લોકોના મોત નિપજ્યા જ્યારે 12 લોકોને ગંભીર ઇજા પંહોચી છે.

-> દ્વારકા-સોમનાથ હાઈવે પર અકસ્માત :- દ્વારકા-સોમનાથ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. પોરબંદર નજીક કુછડી ગામ પાસે મીની બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો. મીની બસમાં 19 જેટલા મુસાફરો સવાર હતા. બસમાં કર્ણાટકનો પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. કર્ણાટકનો પરિવાર સોમનાથથી દ્વારકા જતા હતા. ત્યારે અકસ્માત ઘટનાનો ભોગ બન્યા. કછુડી ગામ પાસે મીની બસની ટ્રક સાથે જોરદાર ટક્કર થતાં કર્ણાટક પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળ પર જ મોત નિપજયા. જ્યારે અન્ય 12 યાત્રાળુઓને ગંભીર ઇજાને પગલે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

-> બસ ચાલકે સર્જ્યો અકસ્માત :- રાજ્યમાં અન્ય એક અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. દાદરા નગર હવેલીમાં એસટી બસના ચાલકે યુવાનોને અડફેટે લીધા હતા. ST બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોંગ સાઈડ પર જતી રહી અને રોડ પર ચાલતા બે યુવાનોને ટક્કર મારી હતી. ગંભીર ઈજાને પગલે 2 યુવાનોનું મોત નિપજયું છે. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ અને પોલીસને જાણ કરી હતી.આ દરમિયાન એસટી ચાલક ફરાર થઈ ગયો હતો.

-> પોલીસે આરોપીને પકડવા તપાસ શરુ કરી :- પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને યુવાન લવાસાના હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાનોના મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર એસટી ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *