અમેરિકી સરકારની કડક કાર્યવાહી, ગેરકાયદે રહેતા વધુ 119 ભારતીયોને પરત મોકલાશે

અમેરિકી સરકારની કડક કાર્યવાહી હાથ ધરી છે. અને અમેરિકામાં ગેરકાયદે રહેલા 119 ભારતીયોને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ભારતીયોમાં 67 પંજાબના લોકો શામેલ છે. આ ખાસ Flight અમૃતસર એરપોર્ટ પર પહોંચશે, જ્યાં ભારત પરત ફરનારા લોકોને અમૃતસરથી પોત પોતાના વતન લઇ જવામાં આવશે. 33 હરિયાણાના લોકો પણ સામેલ છે. અમેરિકા તરફથી એસ્ટેબલિશમેન્ટ અને ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘનને કારણે આ ભારતીયોને પરત મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લોકો ઘણા સમયથી અમેરિકામાં ગેરકાયદે રહેતા હતા. અને તેમને પાછા મોકલવાનો નિર્ણય ભારતીય સરકાર અને અમેરિકી અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.

આ બધા લોકો હવે દેશમાં પાછા આવશે, જ્યાં તેમનો નવું જીવન શરૂ કરવાની તક મળશે. આ પરતફરી કામગીરી હવે વધુ આવા કિસ્સાઓને નાબૂદ કરવા માટે એક સંકેત બની શકે છે. અમેરિકામાં ગેરકાયદે રહેલા 119 ભારતીયોને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ભારતીયોમાં 8 ગુજરાતી અને 67 પંજાબના લોકો શામેલ છે. આ લોકોને લઇને ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચશે.મહત્વનું છે કે અમેરિકાની હાલમાં જ યાત્રા કરીને પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્ત્વપૂર્ણ વાતચીત થઇ હતી.

આ વચ્ચે જ અમેરિકામાં રહેતા ગેરકાયદે અપ્રવાસી ભારતીયોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ સાથે મુલાકાત બાદ PM મોદીએ પણ કોઇ દેશમાં ગેરકાયદેસર રહેવુ એ યોગ્ય ન હોવાનું જણાવ્યુ હતુ. ત્યારે હવે ગેરકાયદે ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ ભારત આવવાની છે. નોંધનીય છે કે અમેરિકાની સત્તામાં ફરીથી આવ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક નિર્ણય લીધો છે. જેમાંથી એક નિર્ણય USમાં ગેરકાયદે રહેતા લોકોને પરત મોકલવાનો છે. જે હેઠળ 5 ફેબ્રુઆરીએ અમેરિકન સૈન્ય વિમાન C-17 દ્વારા 104 ભારતીય અપ્રવાસીઓને પરત ભારત મોકલવામાં આવ્યા હતા. આ એ જ લોકો હતા જે લાખો-કરોડો રૂપિયા ખર્ચીને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘુસ્યા અને ગત કેટલાક વર્ષોથી ત્યાં રહેતા હતા.

Related Posts

“અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! કાળઝાળ ગરમીથી મળી મુક્તિ.”

ગુજરાતમાં મેઘરાજાની મહેર: અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વરસાદ, ગરમીથી મળી રાહત! ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા નાગરિકો માટે સારા સમાચાર છે. રાજ્યમાં ચોમાસાનો…

અમરનાથ યાત્રા: અતૂટ શ્રદ્ધા અને કડક સુરક્ષા વચ્ચે ભક્તોનું ઘોડાપૂર!

જમ્મુ-કાશ્મીરની પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે પણ શ્રદ્ધા, ભક્તિ અને સુવ્યવસ્થિત આયોજન સાથે સફળતાપૂર્વક આગળ વધી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન બર્ફાની બાબાના દર્શન માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *