ગાંધીનગર : શિક્ષકોની ભરતીને લઈ સારા સમાચાર, જૂના શિક્ષકોનું ફાઈનલ મેરિટ થયું જાહેર

B INDIA ગાંધીનગર : રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષક ભરતી માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂના શિક્ષકોનું ફાઈનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 17 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે.જૂના શિક્ષકોની કામગીરી પૂર્ણ થતા ધોરણ 11-12ના શિક્ષકોની ભરતી થશે.

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં નવી નિમણૂંકમાં એનઓસીની જરૂર રહેશે નહીં. અટલે કે, શિક્ષક કે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારોઓએ એનઓસી મેળવવી પડશે નહીં. જિલ્લા શિક્ષણાધિકારી નિમણૂંક પામેલા ઉમેદવારોને મંજૂરી આપશે. જે બાબતે અગાઉ શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે જાહેરાત કરી હતી.

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની જુના શિક્ષક તરીકે ભરતી કરી શકાય તે માટે વિચારણા કરવા અને ભરતી અંગેની સૂચનાઓ નિયત કરવા અગાઉ ઠરાવ પસાર કરાયો હતો. અને સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ રજૂ કરેલ ભલામણો સહિતનો અહેવાલ ધ્યાને લઈને જૂના શિક્ષકોની ભરતી કરવા કેટલાક નિયમો બાનવવામાં આવ્યા હતા.

Related Posts

Ahmedabad: કૃષ્ણનગરમાં 24 લાખના હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો, SOGની કાર્યવાહીથી ચકચાર…

કૃષ્ણનગર વિસ્તારમાં મકાનમાંથી અંદાજે રૂ.24 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. Ahmedabad સ્ટેટ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (SOG)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક યુવકને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. સમગ્ર કાર્યવાહી બાદ કથિત ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં સપ્લાયર તરીકે બન્ની ભાટિયાનું નામ સામે આવ્યું છે અને તે હાલ ફરાર હોવાનું જણાવાયું છે. બાતમીના આધારે SOGની કાર્યવાહી મળતી માહિતી મુજબ, Ahmedabad પોલીસને કૃષ્ણનગર વિસ્તારમાં એક મકાનમાં પ્રતિબંધિત નશીલા પદાર્થનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમે મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા…

Arunachal Pradesh: અરુણાચલમાં ભારે વરસાદનો કહેર: અચાનક પૂર અને ભૂસ્ખલનથી 5 સૈન્ય જવાન ગુમ, 4 મજૂરોના મોત

Arunachal Pradesh અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે અચાનક પૂર અને ભૂસ્ખલનની બે અલગ-અલગ ઘટનાઓએ ચિંતા વધારી છે. શુક્રવાર સાંજે બનેલી આ કુદરતી આફતમાં દિબાંગ વેલી વિસ્તારમાં પાંચ સૈન્ય જવાનો ગુમ થયા છે, જ્યારે અપર સુબનસિરી જિલ્લામાં માર્ગ નિર્માણ સ્થળે થયેલા મોટા ભૂસ્ખલનમાં ચાર મજૂરોના મોત થયાની માહિતી સામે આવી છે. બંને સ્થળોએ બચાવ અને શોધખોળ કામગીરી સતત ચાલી રહી છે. દિબાંગ વેલીમાં અચાનક પૂરથી સૈન્ય કેમ્પને અસર Arunachal Pradesh અરુણાચલ પ્રદેશના દિબાંગ વેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ અચાનક પૂર આવ્યું હતું. પૂરનું પાણી એટલી ઝડપથી વધ્યું કે પાસુ પાની આર્મી કેમ્પ વિસ્તારમાં 5મા ગ્રેનેડિયર્સના બે શેલ્ટર તેની અસર હેઠળ આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં કુલ સાત સૈન્ય કર્મચારીઓ પૂરથી પ્રભાવિત થયા હતા. તેમાંથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *