ખેડાનાં કપડવંજ સેશન્સ કોર્ટે આપ્યો ચૂકાદો, સગીરા સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી

B INDIA ખેડા : ખેડાનાં કપડવંજ સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી છે. આ કેસમાં પરિણીત આરોપી કિશન પરમાર ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચ આપીને ફોસલાવી ભગાડી લઈ ગયો હતો. પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મામલામાં કોર્ટે દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓને આધારે આરોપીને સજાનો હુકમ કર્યો હતો.

આ મામલામાં કઠલાલ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે કપડવંજ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ મિનેષ પટેલ દ્વારા 13 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 8 જેટલા મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. આ પુરાવા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે. જજ કે.એસ. પટેલ એ આરોપી કિશનભાઈ બાદરભાઈ પરમારને સજાનો હુકમ કર્યો હતો.

સરકારી વકીલ મિનેષ પટેલે જણાવ્યું હતું કે, ‘આજરોજ કોર્ટ દ્વારા પોક્સો એક્ટ હેઠળ આરોપી કિશનભાઈ બાદરભાઈ પરમાર જે ભેજલી, તા. કપડવંજનો રહીશ છે તેને સજા કરી છે. બનાવની હકીકત એવી છે કે, તારીખ 15 માર્ચ, 2022 ના રોજ આરોપીએ પોતાના ગામેથી ભોગ બનનારને ભગાડીને લઈ ગયો હતો. ત્યારબાદ તેને કુહા ગામની સીમમાં આવેલ એક કંપનીની ઓરડીમાં રાખી તેની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરતો હતો. આ અંગેનો ગુનો કઠલાલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને તેનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.

Related Posts

નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી…

રાજૂ કરપડાના રાજીનામાં મામલે પ્રતાપ દૂધાતના નિવેદન પર ઇસુદાન ગઢવીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ગુજરાતના રાજકારણમાં છેલ્લા 3 દિવસથી રાજૂ કરપડાના રાજીનામાં અંગે સતત ચર્ચાઓ અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે રાજૂ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *