સુરતમાં RTO વિભાગની અંતે હડતાળ સમેટાઈ, પડતર પ્રશ્નોને લઈને કરાયો હતો વિરોધ

B INDIA સુરત : રાજ્યભરમાં RTO દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે આજે સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવતાં આર.ટી.ઓના ટેક્નિકલ ઓફિસર કામ પરત ફર્યા છે. વિરોધ પ્રદર્શનનો અંત આવતાં અરજદારોને હાશકારો થયો છે.

સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન અંતગર્ત આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઓફિસરો કામથી દૂર રહ્યા હતા. જેના લીધે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે પણ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ સરકાર દ્વારા સકારાત્મક અભિગમ દાખવી પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણની બાંહેધરી આપવામાં આવી હતી. જેના કારણે તમામ ઓફિસરો કામ પર પરત ફર્યા છે.

સુરતમાં RTO વિભાગની હડતાલ સમેટાઈ છે. સરકાર દ્વારા ખાતરી આપતા છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હડતાલ આખરે સમેટાઈ છે. આ હડતાલને લઇ હજારો અરજદાર અટવાયા હતા. જોકે આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઓફિસર એસોસિએશન દ્વારા કામકાજ રાબેતાબ મુજબ શરૂ કરવામાં આવ્યુ છે.

Related Posts

શિક્ષકોને શ્વાનની ગણતરીના સમાચાર મામલે શિક્ષણ વિભાગે અહેવાલોનો આપ્યો રદિયો, જાણો શું કહ્યું

રાજ્યમાં ગાઈકાલથી શિક્ષકોને શ્વાનની ગણતરી કરવા મામલે થયેલ પરિપત્ર મામલે મીડિયામાં સતત સમાચારો સામે આવી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીએ આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ…

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતતા માટે સૂચનો અપાયા

Gujarat Animal Welfare Boardએ 03 ફેબ્રુઆરી, 2026ના પત્ર અનુસાર રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ અને કેમ્પસમાં રહેલ પ્રાણીઓની સુખાકારી અને સલામતી માટે જરૂરી પગલાં અમલમાં લાવવા સૂચના આપી છે. આ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *