27 વર્ષ પછી દિલ્હીમાં ફરીએકવાર લહેરાયો ભગવો, દિલ્હીની જનતાએ AAPની સરકારને આપી વિદાય

દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના 3 કલાક પછી 70 બેઠકોમાંથી, ભાજપ 42 બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) 28 બેઠકો પર આગળ છે.આ પહેલા 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી. તે સમયે ભાજપે 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બનાવ્યા હતા.દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીમાં AAPના પ્રદર્શન પર કટાક્ષ કર્યો. તેમણે પોસ્ટમાં લખ્યું- હજુ લડો અંદરો-અંદર…

કેજરીવાલ નવી દિલ્હી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.. તો સીએમ આતિશી પણ પાછળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસનો ફરીએકવાર દિલ્હીમાં ભારે રકાસ થયો છે.. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના પુત્ર સંદિપ દિક્ષિતે કહ્યું હતું કે અમે મુદ્દા ઉઠાવ્યા પરંતુ જનતાએ અમારા પર પસંદગી નથી ઉતારી, અમે જનતાનો ફેંસલો સ્વીકાર કરીએ છીએભાજપના નેતા સુંધાશું ત્રિવેદીએ કહ્યું કે લોકોએ પીએમ મોદીની ગેરંટીમાં ભરોસો વ્યક્ત કર્યો છે..

તો આ તરફ શિવસેના( યૂબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે જો આપ અને કોંગ્રેસ સાથે મળીને લડ્યા હોત તો પરિણામ કંઇક અલગ હોત કેજરીવાલ સતત ત્રણ વાર દિલ્હીમાં મુખ્યમંત્રી રહ્યા, ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ 4વર્ષ 7 મહિના અને 6 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા , દારુ કૌભાંડમાં જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે રાજીનામું આપી દઇ આતિશીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

Related Posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી…

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *