રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને ચોટીલા-રાજકોટ હાઈવે પર નડ્યો અકસ્માત

B INSIA ગાંધીનગર : રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો છે. તેઓ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે વખતે ચોટીલા રાજકોટ હાઈવે પર કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને ટ્રકે ટક્કર મારતાં સામાન્ય નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માતમાં રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો છે. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સારી વાત એ છે કે, રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો હતો. સામાન્ય ટક્કર હોવાથી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પોતાની કાર સાથે આગળ જામનગર તરફ જવા રાત્રે જ રવાના થઈ ગયા હતા. તો બીજી બાજુ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

-> અગાઉ સર્જાયો હતો અકસ્માત :- બે દિવસ પહેલા પણ ઉના હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરની ટક્કરે યુવકનું મોત

અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર મંગળવારે વહેલી સવારે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પરે એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે…

ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *