સુરતમાં 31 વર્ષે ઝડપાયો હત્યાનો આરોપી, લાફો મારવા જેવી બાબતમાં કરી હતી હત્યા

B INDIA સુરત : સુરતમાં હત્યાનાં કેસમાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીદારોને કામે લગાડી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અને 31 વર્ષ બાદ રૂમ પાર્ટનરની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો છે.

ક્રાઈમ બ્રાંચની ટીમે 31 વર્ષ પહેલા એક શખ્સની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી ૧૯૯૪માં વરાછા પોલીસ સ્ટેશનના ચોપડે વોન્ટેડ હતો. આરોપી એક ઉડિયા યુવક છે જેણે લાફો મારવા જેવી સામાન્ય બાબતે બબાલ કરી એક શખ્સને મોતને ઘાટ ઉતાર્યો હતો.

મળતી માહિતી મુજબ, માથાકૂટ થયા બાદ ઉડિયા યુવક આરત દિવાકર બિસોઈએ લાફો મારનારને ચપ્પુથી રહેંસી નાખ્યો હતો. લાફો મારનારની હત્યા કર્યા બાદ થોડા સમય સુધી બિસોઇ, ઓરિસ્સા અને બંગાળમાં છુપાઈને રહેતો હતો. વારંવાર સ્થળાંતર કર્યા બાદ આખરે આરોપી સુરત આવી ગયો હતો. આરોપીને શોધવા પોલીસે પોતાના બાતમીદારો સક્રિય કર્યા અને ઉડિયા યુવકને 31 વર્ષે સુરતમાંથી જ ઝડપાયો છે.

આરોપીનું નામ આરત દિવાકર બિસોઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે, આ ઉડિયા યુવક પુણા ગામ શાકમાર્કેટમાં કામ કરે છે. બાતમીના આધારે પોલીસે 1994માં વરાછા પોલીસ સ્ટેશન ચોપડે નોંધાયેલા હત્યાના આરોપી ઉડિયા યુવકની અટકાયત કરી.વરાછા પોલીસ હત્યાના ગુનાના આરોપી ઉડિયા યુવક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts

ગુજરાતમાં એપ્રિલમાં પણ માવઠું યથાવત્: ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત છતાં માવઠું હજુ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી…

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *