મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધાનેરાના ધારાસભ્યએ લખ્યો પત્ર, કહ્યું-મહાકુંભમાં એક ગુજરાતી થયો ગુમ

મહાકુંભ મેળામાં ધાનેરાના 50 વર્ષિય બાળકાભાઈ રબારી લાપતા થયા છે. ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય માવજી દેસાઈ કહ્યું છે કે, બાળકાભાઈ રબારી લાપતા થયા છે તેની જાણ ઉત્તરપ્રદેશ તંત્રને ફોટા સાથે કરવા છતાં ભાળ ન મળતા પરિવાર ચિંતિત જોવા બન્યો છે.ઉલ્લેખનિય છે કે, મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

જ્યારે 60 લોકો ઘાયલ થયાના સમાચાર છે. જો કે, ધાનેરાના 50 વર્ષિય બાળકાભાઈ રબારી 29મી જાન્યુઆરીના રોજ પરિવારથી વિખુટા પડ્યા હતા. બાળકાભાઈ 29મી જાન્યુઆરીના વહેલી સવારે પરિવાર સાથે કુંભમેળામાં સ્નાન કરીને ત્યાંથી વિખૂટા પડી ગયા હતા. તેમનો હજી સુધી કોઈ પત્તો નથી. પત્રમાં જણાવ્યા પ્રમાણે, યુપી પ્રસાશનને તેમના ફોટા, નામ સાથે સંપૂર્ણ વિગત આપી છે છતાં તેમની હજી સુધી કોઈ ભાળ નથી મળી.

મહાકુંભ મેળાની શરૂઆત 13મી જાન્યુઆરીથી શરૂ થઈ છે અને આ મેળાની પૂર્ણાહુતિ 26 ફેબ્રુઆરી થશે. ત્યાં સુધીમાં 45 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ મહા કુંભમાં દર્શન કરવા માટે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 18 કરોડ જેટલા ભક્તોએ સ્નાન કર્યુ હોવાની માહિતી સામે આવી રહી છે.

Related Posts

LRD લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ: 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો હાજર, OMR શીટ ઓનલાઈન મળશે

ગુજરાત પોલીસમાં ભરતીની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (LRD)ની કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી લેખિત પરીક્ષા સફળતાપૂર્વક…

નિષ્ફળતાને બનાવો સફળતાની સીડી: જાણો કેવી રીતે એક નિષ્ફળ ગેમ બની વિશ્વની દિગ્ગજ કંપની!

વ્યવસાયિક સફળતા: જ્યારે નિષ્ફળતા બની સફળતાની સીડી બિઝનેસની દુનિયામાં એક કહેવત છે કે, “દરેક સફળ કંપનીની પાછળ એક એવી વાર્તા હોય છે જેમાં શરૂઆતમાં ઘણો સંઘર્ષ અને નિષ્ફળતા છુપાયેલી હોય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *