અમદાવાદમાં પ્રેમસંબંધમાં ખેલાયો ખૂની ખેલ, શિક્ષકની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો

B INDIA અમદાવાદ : અમદાવાદનાં વિરમગામ શહેરમાં શિક્ષકની હત્યા મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે. શિક્ષકનો પરિણીત યુવતી સાથેનો પ્રેમસંબંધ હત્યાનું કારણ બન્યો. મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીત મહિલા હર્ષાબેન સાથે મૈત્રી કરાર સાથે વિરમગામ રહેતો હતો. પત્નીના લગ્નેતર સંબંધથી નારાજ પતિએ વિરગામના શિક્ષક પર ઘાતકી હુમલો કર્યો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ શિક્ષકનું સારવાર દરમ્યાન મોત નિપજયું. ઉલ્લેખનિય છે કે, વિરમગામના એક શિક્ષક નરેશ ચાવડાને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. નરેશ ચાવડા વિરમગામની જે.જે.શાહ શાળામાં શિક્ષક હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ વિરમગામ-માંડલ રોડ પર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા.

ત્યારે અચાનક એક કાર ધસી આવી. અને આ કારમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા અને બોથડ પદાર્થ હથિયાર વડે શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં શિક્ષક ગંભીરપણે ઘાયલ થયા.બોથડ પદાર્થ વડે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જો કે ઘાયલ થયેલા શિક્ષકને ત્યાં હાજર લોકો સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ દરમ્યાન જીવલેણ હુમલામાં ઘાયલ થયેલ શિક્ષકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સમગ્ર મામલે વિરમગામ પોલીસે તપાસ હાથ ધરી. ઘટનાની તપાસ કરતાં પોલીસે ઘટના વખતે હાજર લોકોની પૂછપરછ કરતાં આસપાસ વિસ્તારના સીસીટીવીની ચકાસણી કરી.તપાસમાં સામે આવ્યું કે, શિક્ષક નરેશ ચાવડાના એક પરિણીત મહિલા સાથે સંબંધ હતા.

પરિણીત મહિલા હર્ષાબેન અને શિક્ષક નરેશ ચાવડા મૈત્રી કરાર કરી વિરમગામ શહેરમાં મહાલક્ષ્મી પોળ ખાતે રહેતા હતા.  હર્ષાબેનના પતિ કલાભાઇ ગોહિલ આ સંબંધથી નારાજ હતા. આથી પત્નીના પ્રેમીને પાઠ ભણાવવા કલાભાઈ ગોહિલ અને તેમના મિત્રોએ શિક્ષક પર હુમલો કર્યો. જો કે, આ હુમલો શિક્ષક માટે જીવલેણ બન્યો અને તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. વિરમગામ ટાઉન પોલીસે હત્યા મામલે કલાભાઇ હીરાભાઈ ગોહિલ,અજીતભાઈ ખેંગારભાઇ ગોહિલ બંને રહે શંખેશ્વર પાટણ તેમજ જેસંગભાઇ ઉર્ફે ગોકાભાઇ રામાભાઇ કટારીયા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

Related Posts

દેહરાદૂનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગરમીથી રાહત પણ ટ્રાફિક જામથી લોકો પરેશાન.

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ.દેહરાદૂનમાં વરસાદથી ટ્રાફિક અને જનજીવન પર અસર.ભારે વરસાદથી ગરમીમાંથી રાહત,.ઉત્તરાખંડમાં વરસાદી કહેર, પ્રશાસનની સાવચેતી.દેહરાદૂનમાં સતત વરસાદથી લોકોને મુશ્કેલી

CBIનો સકંજો: ₹2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ અને સહ આરોપી આલોક કુમાર વિદેશથી ઝડપાયા

CBIની મોટી કાર્યવાહી2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ યુએઈમાંથી ઝડપાયોરેડ કોર્નર નોટિસના આધારે ધરપકડ બાદ ભારત લવાયો.બેન્કો સાથે મોટી છેતરપિંડીનો આરોપ.સહઆરોપી આલોક કુમાર પણ વિદેશથી પકડાયોબનાવટી પાસપોર્ટ કેસમાં હરિયાણા પોલીસમાં વોન્ટેડ હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *