અમદાવાદમાં પ્રેમસંબંધમાં ખેલાયો ખૂની ખેલ, શિક્ષકની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો

B INDIA અમદાવાદ : અમદાવાદનાં વિરમગામ શહેરમાં શિક્ષકની હત્યા મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે. શિક્ષકનો પરિણીત યુવતી સાથેનો પ્રેમસંબંધ હત્યાનું કારણ બન્યો. મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીત મહિલા હર્ષાબેન સાથે મૈત્રી કરાર સાથે વિરમગામ રહેતો હતો. પત્નીના લગ્નેતર સંબંધથી નારાજ પતિએ વિરગામના શિક્ષક પર ઘાતકી હુમલો કર્યો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ શિક્ષકનું સારવાર દરમ્યાન મોત નિપજયું. ઉલ્લેખનિય છે કે, વિરમગામના એક શિક્ષક નરેશ ચાવડાને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. નરેશ ચાવડા વિરમગામની જે.જે.શાહ શાળામાં શિક્ષક હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ વિરમગામ-માંડલ રોડ પર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા.

ત્યારે અચાનક એક કાર ધસી આવી. અને આ કારમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા અને બોથડ પદાર્થ હથિયાર વડે શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં શિક્ષક ગંભીરપણે ઘાયલ થયા.બોથડ પદાર્થ વડે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જો કે ઘાયલ થયેલા શિક્ષકને ત્યાં હાજર લોકો સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ દરમ્યાન જીવલેણ હુમલામાં ઘાયલ થયેલ શિક્ષકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સમગ્ર મામલે વિરમગામ પોલીસે તપાસ હાથ ધરી. ઘટનાની તપાસ કરતાં પોલીસે ઘટના વખતે હાજર લોકોની પૂછપરછ કરતાં આસપાસ વિસ્તારના સીસીટીવીની ચકાસણી કરી.તપાસમાં સામે આવ્યું કે, શિક્ષક નરેશ ચાવડાના એક પરિણીત મહિલા સાથે સંબંધ હતા.

પરિણીત મહિલા હર્ષાબેન અને શિક્ષક નરેશ ચાવડા મૈત્રી કરાર કરી વિરમગામ શહેરમાં મહાલક્ષ્મી પોળ ખાતે રહેતા હતા.  હર્ષાબેનના પતિ કલાભાઇ ગોહિલ આ સંબંધથી નારાજ હતા. આથી પત્નીના પ્રેમીને પાઠ ભણાવવા કલાભાઈ ગોહિલ અને તેમના મિત્રોએ શિક્ષક પર હુમલો કર્યો. જો કે, આ હુમલો શિક્ષક માટે જીવલેણ બન્યો અને તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. વિરમગામ ટાઉન પોલીસે હત્યા મામલે કલાભાઇ હીરાભાઈ ગોહિલ,અજીતભાઈ ખેંગારભાઇ ગોહિલ બંને રહે શંખેશ્વર પાટણ તેમજ જેસંગભાઇ ઉર્ફે ગોકાભાઇ રામાભાઇ કટારીયા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

Related Posts

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *