સુનીલ ગાવસ્કર વિરુદ્ધ ગયો રોહિત શર્મા, BCCIને કરી ફરિયાદ, ભારતીય ક્રિકેટમાં મચાવ્યો હંગામો

ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટમાં ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ BCCIએ ખેલાડીઓ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, ત્યારે હવે કેપ્ટન રોહિત શર્માએ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરની ફરિયાદ BCCIને કરી છે. વાસ્તવમાં, રોહિતે BCCIને ગાવસ્કરની ફરિયાદ કરી છે. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ગાવસ્કરના નિવેદનથી રોહિત દુખી છે. રોહિતનું માનવું છે કે, ગાવસ્કરે ભારતીય ટીમના ખેલાડીઓની ખૂબ ટીકા કરી છે, જેના કારણે તેના ફોર્મ પર અસર પડી છે.

રોહિતે તેની ફરિયાદમાં કહ્યું છે કે “બાહ્ય દબાણને કારણે તેના પ્રદર્શનને અસર થઈ છે. આપને જણાવી દઈએ કે, BGT 2024-25 (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) દરમિયાન શર્માએ પોતાની ત્રણ ટેસ્ટ મેચમાં 6.00ની એવરેજથી માત્ર 31 રન બનાવ્યા હતા, જેના કારણે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માની ઘણી ટીકા થઈ હતી. ગાવસ્કરે રોહિતના સ્થાન પર સવાલ ઉઠાવ્યા હતા.

-> રોહિત રણજી ટ્રોફીમાં ફ્લોપ રહ્યો હતો :- રોહિત પણ રણજી ટ્રોફીમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. જમ્મુ-કાશ્મીર સામેની મેચમાં રોહિતે પ્રથમ દાવમાં 19 બોલમાં 3 રન અને બીજા દાવમાં 35 બોલમાં 28 રન બનાવ્યા હતા. હવે રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમતા જોવા મળશે. ભારતીય ટીમ વનડે શ્રેણીમાં ત્રણ વનડે મેચ રમશે તો બીજી તરફ ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. રોહિત માટે ચેમ્પિયન્સ ટ્રોફી ઘણી મહત્વની બની રહી છે. આપને જણાવી દઈએ કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ પછી 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

Related Posts

CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાઉન્સિલના વાઈસ ચેરમેન હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા…

આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’, મળી શકે છે આટલી રકમ

* આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ : પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ   * આ યોજના હેઠળ 70 થી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *