રાજ્યમાં બેવડી ઋતુનો માર,રાજકોટમાં ઝાડા-ઉલટી અને તાવના 1,937 કેસ નોંધાયા

B INDIA રાજકોટ : રાજ્યમાં બેવડી ઋતુનાં કારણે રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં પણ રોગચાળો વકરતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટમાં મચ્છરજન્ય ,પાણીજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે. એક સપ્તાહમાં માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રોમાં મચ્છરજન્ય રોગચાળાને પગલે હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસમાં પણ વધારો નોંધાયો છે.

એક સપ્તાહમાં ઝાડા-ઉલટી, તાવના 1937 કેસ નોંધાયા છે. સપ્તાહમાં તાવના અધધ 829 કેસ નોંધ્યા છે. રાજકોટમાં દિવસેને દિવસે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દર્દીને જોઈ, તપાસી તબીબ તાત્કાલીક સારવાર માટે ખસેડે છે.

છેલ્લા થોડાં સમયથી રાજ્યભરમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. જેમાં વિવિધ સ્થાનો પર રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા ફોગીગ કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ વિવિધ કેસોની સામે મનપા દ્વારા પણ તહેવાર પહેલાં વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.

Related Posts

ગુજરાત માટે મોટા સમાચાર: મુંબઈ બાદ દિલ્હી-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિ, રાજ્યના શહેરોને મળશે મોટો લાભ

દેશમાં હાઈસ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણ તરફ કેન્દ્ર સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ હવે દિલ્હી-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર તેમજ દિલ્હી-વારાણસી-સિલીગુડી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આગળ…

નાણાં વિભાગમાં 45 કર્મચારીઓને હિસાબ અધિકારી વર્ગ-2માં બઢતી, વિવિધ જિલ્લાઓમાં બદલીના આદેશ

રાજ્યના નાણાં વિભાગે હિસાબી કેડરના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા હિસાબનીશ વર્ગ-3ના 45 કર્મચારીઓને હિસાબ અધિકારી વર્ગ-2 તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે જ તેમની રાજ્યના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *