રાજ્યમાં સતત ડિમોલેશનથી લોકોમાં રોષ, મહેસાણામાં દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણો દૂર કરાયા

B INDIA મહેસાણા : રાજ્યનાં અલગ -અલગ જિલ્લાઓમાં ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ છે. દ્વારકા, ચોટીલા બાદ હવે મહેસાણામાં પણ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે . નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા મનપાએ ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.મહેસાણામાં મનપા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. મનપાએ આપેલ નોટિસ બાદ કાર્યવાહી શરૂ કરી છે.

રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા છે. જેમાં ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ છે.અગાઉ મહેસાણાના રાધનપુર ચોકડીથી પાંચોટ રોડ અને પાંચોટ રોડથી રાધનપુર ચોકડી સુધીના રસ્તામાં આવતા હંગામી કે કાયમી દબાણો કે માર્જિનની જગ્યામાં કરાયેલા દબાણ દૂર કરવા મનપા દ્વારા બે દિવસથી કવાયત શરૂ કરાઈ છે.

ગુરુવારે પાંજરાપોળથી પાંચોટ રોડ તરફના વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણામાં મનપા દ્વારા દબાણો દૂર કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. અને દબાણકારોમાં ખળભળાટ મચી ગયો હતો. આ કડક કાર્યવાહીથી અન્ય વિસ્તારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 

Related Posts

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *