રાજકોટમાં GST વિભાગનો સપાટો, પાન મસાલાના હોલસેલ વેપારીઓને ત્યાં દરોડા

B INDIA રાજકોટ : રાજ્યના છેલ્લા ઘણા સમયથી GST વિભાગ સતર્ક થયું છે. અને અલગ – અલગ જિલ્લાઓમાં વેપારીઓને ત્યા દરોડાનો દોર શરૂ કર્યો છે. અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GST વિભાગે દરોડા પાડ્યા છે.રાજકોટમાં તમાકુનાં વેપાર કરતા કરદાતા સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન, રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી અનેક ગેરરીતિઓ ધ્યાનમાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી GST વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં વિવિધ પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GST વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના મવડી વિસ્તારમાં પી પટેલ એજન્સી, કરણપરામાં રાજકમલ એજન્સી – અલ્કા સેલ્સ – જેનીશ સેલ્સ સહિતની એજન્સીઓમાં GST વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જીએસટી વિભાગની અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ સ્ટેટ GST વિભાગ દ્વારા અલગ અલગ દિવસોમાં વિવિધ એકમોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં લગ્ન પ્રસંગ સંબંધિત ચીજોનું વેચાણ કરતા વેપારીઓ તેમજ વેડિંગ ગારમેન્ટસના વેપારીઓને ત્યાં પણ સર્ચ કરીને કરચોરી પકડી હતી. આ વેપારીઓ સામે તપાસ કરતા બિલ વગર વેચાણનો પર્દાફાશ થયો હતો.

Related Posts

“મધ્ય પૂર્વમાં વધતો તણાવ: ગુજરાતના સિરામિક અને એન્જિનિયરિંગ સેક્ટર પર ગંભીર અસર.”

મધ્ય પૂર્વના જ્વલંત તણાવની ગુજરાતના વેપાર-ઉદ્યોગ પર ગંભીર અસર: નિકાસકારો અને નાના ઉદ્યોગકારોની ચિંતા વધી અમદાવાદ: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વણસી રહેલી સ્થિતિએ માત્ર વૈશ્વિક સ્તરે જ નહીં,…

“મુંબઈમાં અતિભારે વરસાદની અસર: ગુજરાત તરફની ટ્રેનોના સંચાલન પર ગ્રહણ.”

મુંબઈ મેઘતાંડવ: ગુજરાત-મુંબઈ રેલવે સેવા ખોરવાઈ, વંદે ભારત અને તેજસ સહિત અનેક ટ્રેનો રદ કે મોડી! મુંબઈ/અમદાવાદ: આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ શરૂ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *