રાજયમાં પવન સાથે ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

B INDIA અમદાવાદ : રાજયમાં 4-5 દિવસનાં રાહત બાદ ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે, સાથે સાથે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે.જેમાં નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જેના કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

-> કયાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી,રાજકોટમાં 12.1 ડિગ્રી, કેશોદમાં 12.4 ડિગ્રી,ભુજમાં 13.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.8 ડિગ્રી,કંડલા અને ડીસામાં 13.9 ડિગ્રી,અમરેલીમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14.7 ડિગ્રી,મહુવામાં 14.8 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય છે.

અને રાજ્યમાં સૌથી ઓછી નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે.મળતી માહિતી મુજબ, આવતીકાલ સુધી રાજયમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહેશે. જેના કારણે ગુજરાતભરમાં ઠંડીનો માહોલ હશે. અને પવનો પણ ફૂંકાશે. પવન 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.

Related Posts

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે 31 ઓગસ્ટથી શરૂ થવાની આશા, 8 કલાકની સફર હવે માત્ર 4 કલાકમાં!

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-મુંબઈ સેક્શનની રાહ જોઈ રહેલા લાખો વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં આ મહત્વપૂર્ણ માર્ગ વિભાગને 31 ઓગસ્ટ, 2026 સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે. જોકે, અંતિમ તારીખ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તરફથી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. આ વિભાગ શરૂ થયા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે રોડ કનેક્ટિવિટીમાં મોટો સુધારો થવાની શક્યતા છે. ખાસ કરીને વડોદરા અને મુંબઈ વચ્ચે નિયમિત મુસાફરી કરતા લોકો માટે આ એક્સપ્રેસવે સમય અને અંતર બંનેની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વડોદરા-મુંબઈ મુસાફરીમાં મોટો ફેરફાર હાલમાં ટ્રાફિક, શહેરોમાંથી પસાર થતો માર્ગ અને અન્ય પરિસ્થિતિઓને કારણે વડોદરાથી મુંબઈ પહોંચવામાં સામાન્ય રીતે લાંબો સમય લાગી શકે છે.…

TMKOC Latest Update 2026: ‘તારક મહેતા…’ માં પોપટલાલની ‘દુલ્હન’ મૂર્તિ બાદ ગોકુલધામમાં મોટો Mystery Twist

TMKOC Latest Update: પોપટલાલની ‘દુલ્હન’ મૂર્તિથી શરૂ થયેલી કહાનીમાં આવ્યો મોટો ટ્વિસ્ટ! TMKOC Latest Update: લોકપ્રિય કોમેડી શો **‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’**માં હાલમાં ગોકુલધામ સોસાયટીમાં એક પછી એક રસપ્રદ અને રહસ્યમય ઘટનાઓ જોવા મળી રહી છે. વર્ષોથી પોતાના લગ્નની રાહ જોઈ રહેલા પોપટલાલ ફરી એકવાર એક અનોખા ટ્રેકને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે પોપટલાલ પોતાની ભાવિ દુલ્હનની આશા સાથે એક ખાસ દુલ્હનની મેનિકિન એટલે કે મૂર્તિ લઈને ગોકુલધામ સોસાયટીમાં પહોંચ્યા હતા. પોપટલાલની આ અનોખી હરકત જોઈને જેઠાલાલ સહિત ગોકુલધામના તમામ સભ્યો આશ્ચર્યમાં પડી ગયા હતા. શરૂઆતમાં આ ઘટના માત્ર કોમેડી અને પોપટલાલના લગ્નના સપનાથી જોડાયેલી લાગી રહી હતી, પરંતુ હવે આ જ કહાનીમાં એક પછી એક એવા ટ્વિસ્ટ આવી રહ્યા છે કે દર્શકોમાં પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *