દેશમાં ફરી વાવાઝોડાની આફત ! ગુજરાત સહિત આ 12 રાજ્યોમાં એલર્ટ

B INDIA અમદાવાદ : ગુજરાતમાં ત્રણ -ચાર દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ હજુ શિયાળાએ વિદાય લીધી નથી. તેવામાં ઠંડીનો હજુ એક રાઉન્ડ આવી શકે છે. ક્યાંક વરસાદ તો ક્યાંક બરફવર્ષા થઈ રહી છે ક્યાંક ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 30 જાન્યુઆરી સુધી હવામાન આવું રહેવાના એંધાણ છે.તો ગુજરાતમાં અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે. અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, દેશમાં એક ચક્રવાતી તોફાન દસ્તક દઈ રહ્યું છે. કારણ કે 3-3 સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે પંજાબ અને તેની આજુબાજુના નીચલા ક્ષોભમંડળ સ્તર પર સ્થિત છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન નીચલા ક્ષોભમંડળ સ્તર પર જ હરિયાણા અને તેની આજુબાજુના વિસ્તારોમાં સ્થિત છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેના નીચલા ક્ષોભમંડળ સ્તર પર સ્થિત છે. એક વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે એક્ટિવ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદનું એલર્ટ આપ્યું છે.

આજે દિલ્હી એનસીઆરની સાથે સાથે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં પણ વાદળ વરસી શકે છે. જેનાથી તાપમાનમાં ઘટાડો આવવાથી ઠંડી વધી શકે છે. જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફવર્ષાનો દોર ચાલુ છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગ, જોજિલા પાસમાં બરફવર્ષાથી ગુરેજ-બાંદીપુરા રોડ, સેમથાન-કિશ્તવાડ, મુગલ રોડ બંધ છે.હિમાચલ પ્રદેશમાં 5 જિલ્લામાં કોલ્ડવેવ ચાલવાનું યલ્લો એલર્ટ રહેશે. 28 જાન્યુઆરી સુધી હિમાચલમાં વરસાદ, બરફવર્ષા, ધુમ્મસ અને કોલ્ડવેવનું હવામાન રહેશે. યુપીના 40 જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. ક્યાંક કયાંક વરસાદ પડવાના આસાર છે.

-> દેશભરમાં કેવું રહેશે હવામાન :- 23 જાન્યુઆરીના રોજ પશ્ચિમી હિમાલયી વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરીમાં અલગ અલગ સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તમિલનાડુ અને પુડુચેરીમાં તોફાની વાયરો ફૂંકવાની સાથે વરસાદ પડી શકે છે. આ હવામાનની અસર દક્ષિણ ભારતના અન્ય રાજ્યો કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશામાં પણ જોવા મળી શકે છે. હાલમાં ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. હવામાન વિભાગે આ સાથે કહ્યું કે 22 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 22મી જાન્યુઆરીએ રાતથી પવનની દિશા બદલવાને કારણે ઠંડી વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

Related Posts

CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *