
B INDIA અમદાવાદ : ધંધુકાના ઉંચડી ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું. જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયુષ વેલનસ સેન્ટર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આયુષ વેલનસ સેન્ટર દ્વારા કુલ 25 થી વધારે બાળકોને યોગ આસાન પ્રાણાયામની સમજૂતી આપી, યોગના લાભ તેમજ યોગની પ્રેક્ટિકલ સમજણ આપી હતી. આ યોગમાં ઉંચડી ગામ પ્રાથમિક શાળાના મેડિકલ ઓફિસર પણ હાજર રહ્યા હતા.
સંચાલક અનિલભાઈ મકવાણા તથા વર્ષાબેન પટેલ હતા.








