કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો મામલો, સંજય રોય દોષીત જાહેર, સોમવારે થશે સજાનું એલાન

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટે સંજય રોયને દોષી ઠેરવ્યો છે. આ દરમિયાન પીડિતાના માતા-પિતા પણ કોર્ટ પરિસરમાં હાજર હતા. સંજય રોયને સોમવારે સજા સંભળાવવામાં આવશે.

-> મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો – સંજય રોય :- આરોપી સંજયે જજને કહ્યું, “મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આ કર્યું નથી. જેમણે આ કર્યું છે તેમને છોડી દેવામાં આવી રહ્યા છે. એક IPS અધિકારી આમાં સામેલ છે.”મહત્વનું છે કે 9 ઓગસ્ટ 2024 ની સવારે, ઉત્તર કોલકાતાની સરકારી મેડિકલ કોલેજ આરજી કરમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટરનો મૃતદેહ અનેક ઈજાના નિશાનો સાથે મળી આવ્યો હતો.

-> આ કલમો હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે :- કોર્ટનું કહેવું છે કે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 64,66, 103/1 લગાવવામાં આવી છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ એવી છે કે તે આરજીના બહાને મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર રૂમમાં ગયો હતો અને ત્યાં આરામ કરી રહેલી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હુમલો કર્યો હતો અને પછી તેની હત્યા કરી હતી. ડૉક્ટરની હત્યા અને બળાત્કાર કેસના આરોપી સંજય રોય સામેના કેસની સુનાવણી 9 જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી, જે દરમિયાન 50 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી.

-> બળાત્કાર અને ગળું દબાવવાનો આરોપ હતો :- પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ગુનેગારે પહેલા પીડિતા પર બળાત્કાર કર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી. તેના મૃત્યુની પુષ્ટિ કરવા માટે આરોપીએ તેનું બે વાર ગળું દબાવી દીધું હતું. આ મામલાએ સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો હતો. કોલકાતામાં જુનિયર ડોકટરોએ પીડિતને ન્યાય અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થાની માંગણી સાથે લાંબો વિરોધ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં આરોગ્ય સેવાઓ પણ બે મહિનાથી વધુ સમય સુધી ઠપ રહી હતી.

Related Posts

કૃષિ ક્ષેત્રના યોગદાનને સલામ: ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નો ભવ્ય સમારોહ

ભારત એક કૃષિપ્રધાન દેશ તરીકે ઓળખાય છે, અને તેમાં પણ ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે નવીનતા, પ્રગતિ અને આત્મનિર્ભરતાના ઉત્તમ ઉદાહરણો પૂરાં પાડતું રહ્યું છે. ખેતી માત્ર રોજગારનું સાધન નથી, પરંતુ…

ધુરંધર-2 માં અતીક અહમદની કહાની: હકીકત કે પ્રોપેગાંડા? ISI કનેક્શન અને ફેક કરન્સીની સ્ટોરી કેટલી સાચી?

ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચિત સીક્વલ ફિલ્મોમાંથી એક ધુરંધર-2  19 ફેબ્રુઆરી, શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મના નિર્દેશક આદિત્ય ધર એ આ ફિલ્મમાં અપરાધ અને રાજકારણ વચ્ચેના એ ગાઢ સંબંધને પડદા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *