સુરતમાં બે જૂથ વચ્ચે બબાલ, અસામાજિક તત્વોએ દુકાનમાં કર્યો તોડફોડ

B india સુરત : સુરત શહેરમાં કાયદાની સ્થિતિ દિવસેને દિવસે લથડી રહી છે. ક્રિષ્ના નગર વિસ્તારમાં સામાન્ય બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા. અને જોતજોતામાં લાકડીના ફટકા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. જોકે દુકાનમાં નુકસાન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સુરતમાં આ સામાજિક તત્વો અને કાયદાની બીક રહી નથી તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના નગર ખાતે સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો અને જોતજોતામાં બે જૂથો વચ્ચે આમને-સામને આવી ગયા હતા અને લાકડીના ફટકા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. મારામારી સાથે દુકાનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, શ્વાન દ્વારા ટોયલેટ કરવા બાબતે થયેલી માથાકૂટ મામલે સમજાવવા જતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જોકે, વીડિયો વાયરલ થતાની સાથે જ હવે પોલીસે બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Related Posts

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *