રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ

આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યા છે. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. તેમજ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, બોટાદ, ગાંધીનગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ કચ્છ, પાટણ સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ,દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

-> આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા :- બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

-> અંબાલાલ પટેલની આગાહી :- હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 જાન્યુઆરી પછી ઠંડીમાં ઘટવાની શક્યતા વધી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે. અમદાવાદ – ગાંધીનગરનું લઘુતમ તાપમાન વધી શકે છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

Related Posts

Ahmedabad જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : National Pride 2026

Ahmedabad જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: 15 ઓગસ્ટે માંડલમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ કરશે ધ્વજારોહણ Ahmedabad જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 15 ઓગસ્ટે માંડલ ખાતે યોજાશે. ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજારોહણ થશે. કાર્યક્રમ પહેલાં રિહર્સલ યોજાયું. દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને ઉત્સાહનો માહોલ છે ત્યારે Ahmedabad જિલ્લામાં પણ 15 ઓગસ્ટની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે અમદાવાદ જિલ્લા કક્ષાનો મુખ્ય સ્વાતંત્ર્ય દિવસ કાર્યક્રમ માંડલ ખાતે યોજાનાર છે. 15 ઓગસ્ટના રોજ જિલ્લા પ્રભારી અને રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે.મુખ્ય કાર્યક્રમને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય અને કોઈ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે અધિકારીઓ…

Somnathમાં શિવ મહોત્સવનો પ્રારંભ: વરસાદ વચ્ચે શિવાલયોમાં ‘હર હર ભોલે’ના નાદ સાથે ભક્તોની ભીડ Sacred Celebration 2026

Somnathમાં શિવ મહોત્સવનો પ્રારંભ: ઝરમર વરસાદ વચ્ચે ભક્તોની ભારે ભીડ, ‘હર હર ભોલે’ના નાદથી ગુંજ્યા શિવાલયો  ગુજરાતમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે Somnathમાં શિવ મહોત્સવનો માહોલ જામ્યો. ઝરમર વરસાદ વચ્ચે ભક્તોની દર્શન માટે લાંબી કતારો લાગી અને ‘હર હર મહાદેવ’ના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ સમગ્ર રાજ્ય શિવભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. પ્રથમ જ દિવસે Somnath સહિત રાજ્યના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. Somnath મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. ઝરમર વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મંદિર પરિસર **‘હર હર મહાદેવ’, ‘હર હર ભોલે’ અને ‘ઓમ નમઃ શિવાય’**ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. Somnathમાં શ્રાવણનો ભક્તિમય પ્રારંભ શ્રાવણ મહિનો ભગવાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *