જામનગરમાં ગોઝારો અકસ્માત, કારે પલટી મારતા 3 લોકોના મોત, બે ઈજાગ્રસ્ત

B india જામનગર :- જામનગરના ધ્રોલમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર પલટી જતા ત્રણ લોકોના મોત થયા છે. જેમા લતીપર-ગોકુળપુર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે .આ અકસ્માતમાં બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

-> કારે પલટી મારતા 3 લોકોના મોત :- જામનગરમાં ધ્રોલના લતીપર અને ગોકુળપુરની વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. જેમાં પોલીસે અકસ્માત કઈ રીતે થયો અને કઈ રીતે કારે પલટી મારી તે દિશામાં તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ત્રણ લોકોનાં માત થાય છે. જેમાં મૃત્યુ પામનાર રીસીભાઇ લતીપર ગામના રહેવાસી હતા. જ્યારે ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા જામનગરનાં રહેવાસી હતા.તો વિવેકભાઈ દિનેશભાઈ પરમાર એ જામનગર શ્રીજી હોલ પાસે રહેતા હતા.

Related Posts

#SHOCKING NEWS: અમદાવાદ-બગોદરા રોડ પર અકસ્માત, એકનું મોત

  અમદાવાદ થી બગોદરા -લીંમડી રોડપર ભયંકર અકસ્માત થયો. એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મુત્યુ થયું. આ ઘટના ટોલનાકા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. ઘણીવાર આવા અકસ્માત થતા કોઈ મદદ માટે આગળ નથી આવતું.

ખંભાળિયા:નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું ની જલારામ ડેરી

ખંભાળીયાની જલારામ ડેરીમાં SOGનો દરોડો.નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.કેમિકલ અને પાવડરથી દૂધ અને પનીર બનાવાતું હતું.માલિક કેતન આસાણી સામે ગુનો નોંધાયો.648 કિલો સ્કીમ્ડ મિલ્ક પાવડર અને એસેટિક એસિડ જપ્ત.54…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *