ઉતરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા એક પ્રયાસ

–>ઉતરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓ માટે મુઠ્ઠીભર અનાજ એકત્ર કરવામાં આવ્યું:–

 

9,523 birds treated in wake of Uttarayan

 

સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં કાર્યરત છે. જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી પૂરી પાડે છે અને અનાથ, અપંગ અને અત્યંત ગરીબ વિદ્યાર્થીઓને મફત માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડે છે.

 

Providing Aid to Injured Birds on Makar Sankranti - Wildlife SOS

 

જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગો સંજેલી-મોરા-સુખસર તાલીમ કેન્દ્રોના મેનેજર શ્રી દિલીપ કુમાર એચ. મકવાણાના માર્ગદર્શન હેઠળ, તાલીમ વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉતરાણના આગલા દિવસે મુઠ્ઠીભર અનાજ એકઠું કર્યું અને પક્ષીઓને ખવડાવ્યું. જેથી પક્ષીઓ ઉતરાણના દિવસે ખોરાકની શોધમાં ન જાય અને પોતાનો જીવ બચાવી શકે તે માટે, ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં મેનેજર શ્રી દિલીપ કુમાર મકવાણા દ્વારા પક્ષીઓના નામે મુઠ્ઠીભર અનાજની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

Related Posts

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા: 30 હજાર પોલીસ, 3,700 CCTV, 100થી વધુ ડ્રોન રહેશે તૈનાત

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર અંદાજે 30 હજાર પોલીસ જવાનો, અદ્યતન ટેક્નોલોજી અને પેરામિલિટરી દળોની…

ગુજરાતને મેરિટાઇમ ક્ષેત્રમાં મોટી ભેટ: પોરબંદરમાં શિપબિલ્ડિંગ ક્લસ્ટર, વડીનારમાં ₹1,570 કરોડનું શિપ રિપેર હબ બનશે

ગુજરાતના દરિયાકાંઠાના વિકાસને વધુ વેગ આપતા કેન્દ્ર સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે બે મહત્ત્વાકાંક્ષી મેરિટાઇમ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંતર્ગત પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર અને કચ્છના અખાતમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *