22થી24 જાન્યુઆરી દરમ્યાન રાહુલ ગાંધી દિલ્હીમાં 3 સભાઓ સંબોધશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 22 થી 24 જાન્યુઆરી દરમિયાન દિલ્હીના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં રેલીઓ કરશે. મંગળવારે રાજ્ય કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં, પૂર્વ મંત્રી ડૉ. નરેન્દ્ર નાથે જણાવ્યું હતું કે તેઓ 22મીએ ઇન્દ્રલોક મેટ્રો સ્ટેશન, 23મીએ મુસ્તફાબાદ અને 24મી જાન્યુઆરીએ માદીપુર ખાતે જાહેર સભાઓને સંબોધિત કરશે. પાર્ટીનું માનવું છે કે રાહુલની હાજરી પાર્ટીના ઉમેદવારોને મજબૂત તો બનાવશે જ સાથે-સાથે કોંગ્રેસની વિચારધારા અને યોજનાઓને જનતા વચ્ચે મજબૂત રીતે રજૂ કરવામાં પણ મદદ કરશે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પરંપરાગત રીતે પોતાના ઉમેદવારો ઉભા રાખતી શિવસેના આ ચૂંટણીમાં પોતાના સાથી પક્ષ ભાજપને ટેકો આપશે. પાર્ટીએ મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલો સમર્થન પત્ર તેના નેતા એકનાથ શિંદે દ્વારા દિલ્હી ભાજપના વડા વીરેન્દ્ર સચદેવાને સોંપ્યો. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, “શિવસેનાએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોને સક્રિયપણે ટેકો આપવાનો નિર્ણય લીધો છે. મેં શિવસેનાના દિલ્હી એકમને રાજ્ય એકમ સાથે મળીને ચૂંટણી પ્રચારમાં સક્રિયપણે ભાગ લેવા કહ્યું છે.

બીજી તરફ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા જારી કરાયેલા ચૂંટણી ઢંઢેરા પર નિશાન સાધ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે કહ્યું કે અમે દિલ્હીમાં શિક્ષણ મફત કર્યું છે. ૧૮ લાખ બાળકો માટે ઉત્તમ શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. કેજરીવાલે કહ્યું કે જો આ (ભાજપ) લોકો આવશે તો મફત શિક્ષણ બંધ થઈ જશે.સંકલ્પ પત્રમાં તેઓ કહી રહ્યા છે કે દિલ્હીના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલોમા મફત શિક્ષણ આપવામાં આવશે..કેજરીવાલે આગળ બોલતા કહ્યું હાલ દરેકને શાળાઓમાં મફત શિક્ષણ મળી રહ્યું છે. ભાજપના સંકલ્પ પત્રમાં જે લખ્યું છે તેનો અર્થ એ થયો કે તેઓ દરેક માટે મફત શિક્ષણ બંધ કરશે અને જરૂરિયાતમંદોને જ તે પૂરું પાડશે.

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *