ઉત્તરાયણના દિવસે પવનની ગતિ રહેશે સારી, પરેશ ગોસ્વામીએ કરી આગાહી

B india અમદાવાદ :- હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પતંગ રસિયાઓ ખુશ થઈ જાય તેવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઘણાં વર્ષો પછી આ વખતની ઉત્તરાયણ માટે પવનની ગતિ અને દિશા અનુકૂળ રહેશે. સામાન્ય રીતે ગુજરાતભરમાં આકાશ ચોખ્ખું રહેશે.

ગુજરાતનું તાપમાન નોર્મલ નજીક જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય, સાબરકાંઠા હોય, અરવલ્લીના ભાગોમાં કદાચ 20 થી લઈને 22 ની આસપાસનું મહત્તમ તાપમાન જોવા મળી શકે છે. બાકીના અન્ય ભાગોમાં 25 થી લઈને 30 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, કચ્છમાં પવનની સ્પીડ નોર્મલ કરતાં વધારે રહેશે. એટલે 14 થી લઈને 18 કિમી પ્રતિ કલાક પવનની સ્પીડ જોવા મળી શકે છે. સાથે તેમણે જણાવ્યું છે કે, પવનની સ્પીડ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે જોવા મળશે. સૌથી વધારે સ્પીડ સૌરાષ્ટ્રમાં નોર્મલ કરતાં વધારે એટલે કે, 20 થી લઈને 22 કિમી પ્રતિ કલાક સુધીની જોવા મળી શકે છે. પવન ઉત્તર અને ઉત્તર પૂર્વના રહેશે. એટલે પતંગ રસિકો માટે આ પવન સારો જોવા મળી શકે છે.

Related Posts

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *