રાજ્યમાં અસલી ઘીનાં નામે નકલીનો વેપાર! ફૂડ વિભાગે લીધેલા નમૂના થયા ફેલ

B INDIA બનાસકાંઠા : રાજ્યમાં અસલીનાં નામે નકલીનો વેપાર થતો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાંથી બ્રાન્ડેડ ઘીના નમૂના ફેલ ગયા છે. જ્યારે બનાસકાંઠામાં ડુપ્લિકેટ ઘીના ડબ્બા પર જાણીતી બ્રાન્ડનું નામ લગાવીને વેચવામાં આવતા ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો છે. ફૂડ વિભાગે ઓક્ટોબરમાં કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા છે. કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે, કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે રેડ પાડી હતી.

ફૂડ વિભાગે ઓક્ટોબર માસમાં ઘીના નમૂના લીધા હતા જે ફેલ જતાં ફૂડ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અંદાજે 13 લાખનો દાવત બ્રાન્ડનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ જતાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સાથે બનાસકાંઠામાંથી પણ શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘી “જલારામ એન્ટરપ્રાઈઝ”ના લેબલનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ વેચાતું હોવાનું પણ સામે આવ્યું છે.

શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘીના લેબલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ડીસા, ચડોતરની પેઢીઓમાં ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. પાંચ પેઢીમાંથી ઘી, તેલના 14 સેમ્પલ લેવાયા હતા. 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો છે. જ્યારે ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું છે. ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

Related Posts

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 Vibrant Pose

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 બોલમાં સદી ફટકારી રોહિતનો રેકોર્ડ તોડ્યો  નવી દિલ્હી: ભારતીય Cricket ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બેટિંગનો એવો ધમાકો કર્યો કે ક્રિકેટ જગતમાં ફરી એકવાર તેમનું નામ ચર્ચામાં આવી ગયું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અભિષેકે માત્ર 30 બોલમાં સદી ફટકારીને ભારતીય બેટ્સમેન તરીકે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. પરંતુ અભિષેકની ચર્ચા માત્ર તેની તોફાની બેટિંગ પૂરતી મર્યાદિત રહી નહોતી. સદી પૂરી કર્યા બાદ તેમણે મેદાન પર જ પલાંઠી વાળીને ધ્યાનની મુદ્રામાં બેસી ‘ૐ નમઃ શિવાય’નો જાપ કર્યો હતો. અભિષેકનું આ અનોખું સેલિબ્રેશન કેમેરામાં કેદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *