ઉત્તરાયણમાં કાચવાળી દોરી વાપરવા પર પ્રતિબંધ, આ નિર્ણય પર પંતગ રસિકો બોલ્યા.

-> ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના કાચવાળી દોરી વાપરવાના પ્રતિબંધ બાદ પતંગ રસિકો આકાશમાં પેચ કાપી શકશે કે કેમ તે સવાલ સૌને મૂંઝવી રહ્યો છે :

-> અલગ-અલગ સામગ્રી વાપરી બને છે દોરી :- ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ રસિકો આકાશમાં પતંગ ઉડાવીને એકબીજાના પતંગનો પેચ કાપીને ઉજવણી કરતા હોય છે. જોકે, આ વખતે ગુજરાત હાઇકોર્ટે કાચ વાળી દોરી વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેને લઈને માર્કેટમાં કાચ વિનાની દોરી રંગવામાં આવી રહી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશનો કડકાઇથી પાલન થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે વિક્ર્તાઓ દોરી રંગવા માટે ગ્રાહકોના આગ્રહ છતાં પણ કાચનો ઉપયોગ કરવાનો ટાળી રહ્યા છે.

-> પતંગ રસિકોએ કાર્ટનાં નિર્ણયને આવકાર્યો :- પતંગ રસિકો ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને આવકારી રહ્યા છે અને આકાશી યુદ્ધમાં જીત મેળવવા માટે કાચવાળી દોરી નહીં પરંતુ ટેલેન્ટ જરૂરી હોવાનું માની રહ્યા છે. ઉત્તરાયણનો પર્વ યુવાનોનો મનપસંદ તહેવાર રહ્યો છે. અને આ તહેવાર દરમિયાન યુવાનો મોટી સંખ્યામાં અવનવી ડિઝાઈનવાળા પતંગ ઉડાવી આકાશી યુદ્ધ કરતા હોય છે. જોકે આ વખતે અમદાવાદ શહેરમાં પતંગની માગ વધી છે.

-> કાચો માલ માર્કેટમાં ખૂબ ઓછો આવ્યો :- પતંગનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે. કાચો માલ માર્કેટમાં ખૂબ ઓછો હોવાના કારણે પતંગનું ઉત્પાદન ઓછું થયું છે. સાથે જ પતંગના ભાવો પણ દર વર્ષ કરતાં ચાલુ વર્ષે વધારે છે .પતંગના વધેલા ભાવ તેમજ ગુજરાત હાઇકોર્ટના કેટલાક પ્રતિબંધ વચ્ચે પતંગ રસિકો આકાશી યુદ્ધ કરવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.

Related Posts

ગુજરાત : 2026 SDRF Fund Approval: કુદરતી આફતો સામે ગુજરાત સજ્જ: કેન્દ્ર તરફથી ₹500 કરોડનું મોટું ફંડ મંજૂર,

કેન્દ્ર સરકારે ગુજરાત માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) હેઠળ ₹500 કરોડની રકમ મંજૂર કરી છે. ભારે વરસાદ, પૂર અને કુદરતી આફતો સામે રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે. ગુજરાતને કેન્દ્ર સરકારની મોટી મદદ, SDRF હેઠળ ₹500 કરોડ મંજૂર ગુજરાતમાં કુદરતી આફતો સામે રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્ય માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (State Disaster Response Fund – SDRF) હેઠળ ₹500 કરોડની સહાય મંજૂર કરી છે. આ રકમનો ઉપયોગ રાજ્યમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા, ભૂસ્ખલન સહિતની કુદરતી આફતો દરમિયાન અસરગ્રસ્ત લોકો માટે રાહત કામગીરી, બચાવ કાર્ય અને જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજ્યના…

કેરળ 2026 : KERALA RAIN TRAGEDY: કેરળમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વરસાદી દુર્ઘટનાઓમાં 15 લોકોના મોત, 7 લાપતા!

કેરળમાં સતત ભારે વરસાદના કારણે પૂર, ભૂસ્ખલન અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓમાં 15 લોકોના મોત અને 7 લોકો ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી તેજ કરી છે. કેરળમાં મેઘરાજાનો કહેર, અનેક જિલ્લાઓમાં ગંભીર પરિસ્થિતિ દક્ષિણ ભારતનું રાજ્ય કેરળ ફરી એકવાર ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ જોખમી સપાટીથી ઉપર વહે રહી છે, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે 7 લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *