અમરેલીમાં પાટીદાર દિકરી મુદ્દે રાજકીય ખેંચતાણ, પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું-જે થયું તે યોગ્ય નથી

B INDIA અમરેલી :-  અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વિવાદે રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા હતા. તો બીજી તરફ પાટીદાર દીકરી પાયલ ગોટીના સરઘસ મુદ્દે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે, જે થયું તે યોગ્ય નથી અને આવું ના થવું જોઈએ.પોલીસે ઉતાવળ કરી સરઘસ કાઢયું છે તે ના થવું જોઈએ.આ ઘટનાને પુરષોત્તમ રૂપાલાએ વખોડી હતી. સાથે સાથે કહ્યું કે, એસપી દ્વારા જે કમિટી નીમાઈ છે તેમાં તપાસ થવી જોઈએ. સાંસદે કહ્યું કે, પોલીસની કમિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યકત કરી હતી. સાંસદે સાથે સાથે કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું કે,કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઇ જાય છે.

-> પાયલ ગોટીનો વિવાદ કેમ સર્જાયો? :- અમરેલીમાં પાયલ ગોટીકાંડનો વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક લેટરથી શરૂ થયો. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો મુકાયા. આ જ વિવાદમાં પાયલ ગોટી પર આંગળી ઊઠી કે તેણે જ લેટર વાયરલ કરાવ્યો છે. બસ, આના પછી જ વિવાદમાં પોલીસની એન્ટ્રી થાય છે અને અડધી રાતે લેટરકાંડ મામલે આરોપીઓને ઉઠાવી લેવામાં આવે છે. હવે આ ઘટના ભયાનક વળાંક લે છે, કારણ કે એવો આક્ષેપ થયો કે મધરાતે જેને પોલીસે પકડ્યા એમાં પાયલ ગોટી નામની મહિલા પણ હતી.

-> ન્યાય મળે તે માટે હુંકાર: કથીરિયા :- નકલી લેટરકાંડમાં મુદ્દે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, અમરેલીમાં જે દીકરી પર પોલીસ કાર્યવાહી થઈ છે એ નિંદનીય છે. આ મામલે વકીલો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને દીકરીનું નામ આ લેટરકાંડમાંથી હટાવવામાં આવે એ અંગે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દેવાયું છે. કોર્ટ કાર્યવાહી થઇ રહી છે.

Related Posts

કેરળ 2026 : KERALA RAIN TRAGEDY: કેરળમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વરસાદી દુર્ઘટનાઓમાં 15 લોકોના મોત, 7 લાપતા!

કેરળમાં સતત ભારે વરસાદના કારણે પૂર, ભૂસ્ખલન અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓમાં 15 લોકોના મોત અને 7 લોકો ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી તેજ કરી છે. કેરળમાં મેઘરાજાનો કહેર, અનેક જિલ્લાઓમાં ગંભીર પરિસ્થિતિ દક્ષિણ ભારતનું રાજ્ય કેરળ ફરી એકવાર ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ જોખમી સપાટીથી ઉપર વહે રહી છે, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે 7 લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્ય…

વરસાદની આફત: TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી, હવે આ તારીખે યોજાશે મેગા ટેસ્ટ : 2026 Urgent

TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી: ભારે વરસાદને કારણે હવે 8 ઓગસ્ટે યોજાશે પરીક્ષા  ભારે વરસાદની આગાહી અને IMDની ચેતવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી રાખી છે. હવે પરીક્ષા 8 ઓગસ્ટે યોજાશે. જાણો સંપૂર્ણ વિગતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB) દ્વારા ટેટ (ઉચ્ચ માધ્યમિક) મુખ્ય પરીક્ષા (TAT-HS Main Examination) મુલતવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ પરીક્ષા 2 ઓગસ્ટના રોજ યોજાવાની હતી, પરંતુ હવે તે 8 ઓગસ્ટના રોજ યોજાશે. આ નિર્ણયથી રાજ્યભરના હજારો ઉમેદવારોને રાહત મળી છે, કારણ કે ભારે વરસાદને કારણે મુસાફરી, પરીક્ષા કેન્દ્ર સુધી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *