ગોપાલનાં પડીકા ખાવાની આદત હોય તો ચેતી જજો, ગાંઠીયાના પેકેટમાંથી નીકળ્યો મરેલો ઉંદર

B india અમદાવાદ :- ગોપાલ કંપનીના નમકીન પેકેટમાંથી મરેલો ઉંદર નીકળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રેમપુર ગામની છે. જ્યાં બાળકી આરામથી નમકીન ખાતી હતી. આ દરમિયાન અંદરથી મરેલો ઉંદર નીકળ્યો. એવું કહેવાય છે કે, બાળકીને આ પેકેટનું નમકીન ખાવાનું ભારે પડી ગયું. કારણ કે હવે તેને ડાયેરિયા થઈ ગયો છે.

બાળકીના પિતાના જણાવ્યાં મુજબ, તેની પત્ની તેની પુત્રીને નમકીનનું પેકેટ ખવડાવી રહી હતી. બાળકીને અચાનક ઝાડા ઉલ્ટી થવા લાગ્યા અને તપાસ કરવામાં આવતા પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો. બાળકી બીમાર પડી ગઈ અને તેને સારવાર માટે દાવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ્સને બેદરકારી બદલ નમકીન કંપની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે.

આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ ઘટી ચૂકી છે. આવો જ કઈક મામલો કાવેરી જળ વિવાદ અંગે ખેડૂતો દ્વારા બોલાવાયેલા બંધના એલાન વખતે સામે આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા ડ્યૂટી પર તૈનાત પોલીસકર્મીઓ માટે જે નાસ્તો આપવામાં આવ્યો તેમાં મરેલો ઉંદર નીકળ્યો હતો. આ ઘટના 2023ની છે.

Related Posts

જલ જીવન મિશન 2.0 માટે કેન્દ્ર-રાજ્ય વચ્ચે એમઓયુ, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ કરાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.…

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *