અમદાવાદનાં થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત, સીડી ચડતા આવ્યો હતો હાર્ટ એટેક

B india અમદાવાદ :- અમદાવાદના થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત નિપજતા શાળામાં શોકનો માહોલ છવાયો છે. થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સીડી ચડાતા સમયે છાતીમાં દુખાવો થયો હતો.

ઝેબર શાળામાં સીડી પર જ વિદ્યાર્થિની ઢળી પડી હતી. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. સંચાલકોના જણાવ્યા અનુસાર શાળામાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓની મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. પરંતુ આ વિદ્યાર્થિનીની આ પ્રકારની કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે.

જો કે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસે શાળાએ પહોંચી હતી. અને સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થિની સવારે 7 વાગ્યે રિક્ષામાં ઝેબર શાળામાં પહોંચી હતી. ત્યારે શાળાની સીડી પર ચડવા ગઈ હતી ત્યારે જ દુખાવો થતા તાત્કાલિક તે સીડી પર બેસી ગઈ હતી. તેની જાણ થતા શાળાના શિક્ષકો દ્વારા PCR આપવામાં આવ્યું હતું છતા સારું ન થતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Related Posts

21 જૂનની પોલીસ ભરતી પરીક્ષા મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની વિવિધ લેખિત પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET પરીક્ષાના આયોજન અને વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ…

ગુજરાતના દરિયાકાંઠે 1 જૂનથી ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ, 61 દિવસ સુધી બોટો નહીં ઉતરે દરિયામાં

ગુજરાતના સાગરકાંઠા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને 1 જૂનથી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *