અમદાવાદનાં થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત, સીડી ચડતા આવ્યો હતો હાર્ટ એટેક

B india અમદાવાદ :- અમદાવાદના થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત નિપજતા શાળામાં શોકનો માહોલ છવાયો છે. થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સીડી ચડાતા સમયે છાતીમાં દુખાવો થયો હતો.

ઝેબર શાળામાં સીડી પર જ વિદ્યાર્થિની ઢળી પડી હતી. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. સંચાલકોના જણાવ્યા અનુસાર શાળામાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓની મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. પરંતુ આ વિદ્યાર્થિનીની આ પ્રકારની કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે.

જો કે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસે શાળાએ પહોંચી હતી. અને સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થિની સવારે 7 વાગ્યે રિક્ષામાં ઝેબર શાળામાં પહોંચી હતી. ત્યારે શાળાની સીડી પર ચડવા ગઈ હતી ત્યારે જ દુખાવો થતા તાત્કાલિક તે સીડી પર બેસી ગઈ હતી. તેની જાણ થતા શાળાના શિક્ષકો દ્વારા PCR આપવામાં આવ્યું હતું છતા સારું ન થતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Related Posts

નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી…

રાજૂ કરપડાના રાજીનામાં મામલે પ્રતાપ દૂધાતના નિવેદન પર ઇસુદાન ગઢવીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ગુજરાતના રાજકારણમાં છેલ્લા 3 દિવસથી રાજૂ કરપડાના રાજીનામાં અંગે સતત ચર્ચાઓ અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે રાજૂ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *