અમાદાવાદ : હવે પ્રી-વેડિંગ ફ્લાવર શોમાં પણ કરી શકાશે, અહીં જાણો તમામ વિગતો

B india અમાદાવાદ :- અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં હવે પ્રી-વેડિંગ શૂટ પણ કરી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્તવપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 2 દિવસ માટે પ્રી- વેડિંગ અને એડવર્ટાઇઝ શૂટ કરી શકાશે. જેના માટે સવાર અને સાંજ એમ બે સ્લોટ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિ-વેડિંગ શૂટિંગ માટે એક કલાકની રૂપિયા 25 હજાર અને એડવર્ટાઈઝિંગ કે ફિલ્મના શૂટિંગ માટે 3 કલાકની રૂપિયા 1 લાખ ફી નક્કી કરવામાં આવી છે.

Ahmedabad Flower Show 2025 All Information | અમદાવાદ ફ્લાવર શોની તમામ માહિતી

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને 3 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવેલો ફ્લાવર શો 3 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી દ્વારા લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ફ્લાવર શોને મળતા અદ્ભૂત પ્રતિસાદને ધ્યાનમાં રાખીને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સાથે 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ ફ્લાવર શોમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવી શકાશે. પ્રિ વેડિંગ શૂટિંગ માટે સવારે 7થી 8 કલાક સુધીનો સ્લોટ આપવામાં આવશે. જેનો ચાર્જ રૂ. 25000 રહેશે. જેમાં વધુમાં વધુ 10 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે.

Ahmedabad Flower Show 2025 All Information | અમદાવાદ ફ્લાવર શોની તમામ માહિતી

-> પ્રિ-વેડિંગ શૂટિંગ માટેનો ચાર્જ અને સમય? :- પ્રિ વેડિંગ શૂટિંગ માટે સવારે 7થી 8 વાગ્યા સુધી રૂ. 25000 તેમજ સાંજે 6થી 12 વાગ્યા સુધીના રૂ. 35000 રહેશે. એક દિવસના વધુમાં વધુ 15 બુકીંગ લેવામાં આવશે. વેબ સિરીઝ તેમજ મુવી કે એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટેનો સમય સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે. જેનો ચાર્જ રૂ. 1 લાખ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં વધુ 25 લોકોને પ્રવેશ આપવામાં આવશે. વેબ સિરીઝ તેમજ મુવી અને એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટે 3 કલાકનો સ્લોટ અને પ્રતિદિન વધુમાં વધુ પાંચ બુકિંગ લેવામાં આવશે. પ્રિ-વેડિંગ શૂટિંગ માટે, વેબ સિરીઝ તેમજ મુવીઝ અને એડવર્ટાઇઝમેન્ટના સ્લોટ બુકીંગ www.ahmedabadcity.gov.in પરથી બુક કરી શકાશે.

વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024' ખુલ્લો મુકાયો | chitralekha

Related Posts

TMKOC Latest Update 2026: ‘તારક મહેતા…’ માં પોપટલાલની ‘દુલ્હન’ મૂર્તિ બાદ ગોકુલધામમાં મોટો Mystery Twist

TMKOC Latest Update: પોપટલાલની ‘દુલ્હન’ મૂર્તિથી શરૂ થયેલી કહાનીમાં આવ્યો મોટો ટ્વિસ્ટ! TMKOC Latest Update: લોકપ્રિય કોમેડી શો **‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’**માં હાલમાં ગોકુલધામ સોસાયટીમાં એક પછી એક રસપ્રદ અને રહસ્યમય ઘટનાઓ જોવા મળી રહી છે. વર્ષોથી પોતાના લગ્નની રાહ જોઈ રહેલા પોપટલાલ ફરી એકવાર એક અનોખા ટ્રેકને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે પોપટલાલ પોતાની ભાવિ દુલ્હનની આશા સાથે એક ખાસ દુલ્હનની મેનિકિન એટલે કે મૂર્તિ લઈને ગોકુલધામ સોસાયટીમાં પહોંચ્યા હતા. પોપટલાલની આ અનોખી હરકત જોઈને જેઠાલાલ સહિત ગોકુલધામના તમામ સભ્યો આશ્ચર્યમાં પડી ગયા હતા. શરૂઆતમાં આ ઘટના માત્ર કોમેડી અને પોપટલાલના લગ્નના સપનાથી જોડાયેલી લાગી રહી હતી, પરંતુ હવે આ જ કહાનીમાં એક પછી એક એવા ટ્વિસ્ટ આવી રહ્યા છે કે દર્શકોમાં પણ…

Ahmedabad AMC Food Dept Crackdown 2026: લાયસન્સ વગરનું ગોડાઉન સીલ! Food Safety Raid સાવચેત રહેજો અમદાવાદવાસીઓ

Ahmedabadમાં તહેવાર પહેલાં મીઠાઈ પર AMCની તવાઈ: કાજુ કતરીના વરખમાં અન્ય ધાતુ મળતા એકમ સીલ Ahmedabadમાં તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ મીઠાઈ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને AMCના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં મીઠાઈ અને માવાની દુકાનો તથા ઉત્પાદન એકમોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કાજુ કતરીમાં ચાંદીના વરખના બદલે અન્ય ધાતુનો ઉપયોગ થતો હોવાની શંકા સામે આવી છે. આ તપાસ દરમિયાન કુલ 22 જેટલા ખાદ્ય એકમોમાં રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કાલુપુર-બાપુનગર વિસ્તારમાં આવેલા શ્રી કનૈયાલાલ માવાવાળાના એકમમાં કાજુ કતરીના વરખ અંગે ગંભીર બાબત સામે આવતા એકમને સીલ કરવામાં આવ્યો હતો. તહેવારો દરમિયાન મીઠાઈની માંગ સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી જાય છે. લોકો પોતાના પરિવાર અને સંબંધીઓ માટે મીઠાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *