ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, સાબરકાંઠામાં 7 વર્ષનો બાળક બન્યો HMPV પોઝિટિવ

B india અમદાવાદ :- રાજ્યમાં HMPV વાયરસને લઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાનાં 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હાલ, બાળકને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યો છે. 2 દિવસ અગાઉ બાળકનું સેમ્પલ લેવાયું હતું. તો સેમ્પલનો રિપોર્ટ ગત મોડી રાત્રે પોઝિટિવ આવ્યો હોવાથી તંત્રમાં દોડધામ મચી છે.

-> બાળકનો બે દિવસ પહેલા કઢાવ્યો હતો રીપોર્ટ :- સમગ્ર કેસમાં બે દિવસ પહેલા બાળકનો રીપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયું હતું. ત્યારે આજે રીપોર્ટ પોઝિટિવ આવતા બાળકના પરિવારજનોનાં પણ રિપોર્ટ લેવામાં આવ્યા છે. જોકે, 7 વર્ષના બાળકને સારવાર માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ આ મામલે તપાસ કરી રહ્યું છે અને તે જ વિસ્તારના અન્ય બાળકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

-> બે દિવસ પહેલા જ 2 મહિનાના બાળકનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ :- ઉલ્લેખનિય છે કે, ચીનની મહામારીની બે દિવસ પહેલા ગુજરાતમાં એન્ટ્રી થઈ હતી. જેમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. HMPV વાયરસથી પોઝિટિવ બાળક મૂળ મોડાસામાં આવેલું એક ગામનું રહેવાસી છે બાળકની તબિયત બગડતા પરિવારજનો બાળકને અમદાવાદ લાવ્યા હતા. ત્યારે આ બાળકમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યાર બાદ લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી બાળક હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, બાળકની તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.

-> રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે :- ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાયરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરીના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાયરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં HMPV વાયરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.

Related Posts

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

NEET 2026 ઉમેદવારો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દોડાવશે 6 સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગત

NEET-UG 2026 પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 21 જૂનના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો અને તેમના પરિવારજનોને મુસાફરીમાં સરળતા રહે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *