ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, સાબરકાંઠામાં 7 વર્ષનો બાળક બન્યો HMPV પોઝિટિવ

B india અમદાવાદ :- રાજ્યમાં HMPV વાયરસને લઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાનાં 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હાલ, બાળકને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યો છે. 2 દિવસ અગાઉ બાળકનું સેમ્પલ લેવાયું હતું. તો સેમ્પલનો રિપોર્ટ ગત મોડી રાત્રે પોઝિટિવ આવ્યો હોવાથી તંત્રમાં દોડધામ મચી છે.

-> બાળકનો બે દિવસ પહેલા કઢાવ્યો હતો રીપોર્ટ :- સમગ્ર કેસમાં બે દિવસ પહેલા બાળકનો રીપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયું હતું. ત્યારે આજે રીપોર્ટ પોઝિટિવ આવતા બાળકના પરિવારજનોનાં પણ રિપોર્ટ લેવામાં આવ્યા છે. જોકે, 7 વર્ષના બાળકને સારવાર માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ આ મામલે તપાસ કરી રહ્યું છે અને તે જ વિસ્તારના અન્ય બાળકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

-> બે દિવસ પહેલા જ 2 મહિનાના બાળકનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ :- ઉલ્લેખનિય છે કે, ચીનની મહામારીની બે દિવસ પહેલા ગુજરાતમાં એન્ટ્રી થઈ હતી. જેમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. HMPV વાયરસથી પોઝિટિવ બાળક મૂળ મોડાસામાં આવેલું એક ગામનું રહેવાસી છે બાળકની તબિયત બગડતા પરિવારજનો બાળકને અમદાવાદ લાવ્યા હતા. ત્યારે આ બાળકમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યાર બાદ લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી બાળક હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, બાળકની તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.

-> રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે :- ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાયરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરીના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાયરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં HMPV વાયરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *