ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારતની વસ્તીમાં મોટા ઘટાડાનું અનુમાન રજુ કર્યુ, નાઇઝીરીયા બનશે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

અબજોપતિ ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારત અને ચીનની વસ્તીમાં અંદાજિત ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મસ્કના X હેન્ડલ પરથી ગ્રાફની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, જે વિશ્વના મુખ્ય દેશોની વસ્તીમાં સંભવિત ફેરફાર દર્શાવે છે. મસ્કે તેને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આ અનુમાન મુજબ, 2100 સુધીમાં, ભારતની વસ્તી ઘટીને 110 કરોડ થઇ જવાનું અનુમાન છે. આ અંદાજે રૂ. 40 કરોડનો ઘટાડો દર્શાવે છે.. હાલમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારતની વસ્તીમાં આ ઘટાડો ચિંતાજનક હોઈ શકે છે.ચીનની વસ્તીમાં પણ ધરખમ ઘટાડો થવાનો અંદાજ છે. 2100 સુધીમાં, ચીનની વસ્તી ઘટીને 74 કરોડ થઇ જશે , આ વસ્તીમાં મોટો ઘટાડો સૂચવે છે, જે દેશના સામાજિક અને આર્થિક માળખાને અસર કરી શકે છે.

-> નાઇજીરીયા બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે :- સદીના અંત સુધીમાં, નાઇજીરીયાની વસ્તી 790.1 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે, જે તેને વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવશે. તો બીજી તરફ અમેરિકા વિશ્વનો ચોથો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે, જ્યારે ઇન્ડોનેશિયા અને પાકિસ્તાનમાં વસ્તીમાં થોડો ઘટાડો જોવા મળશે. આ અનુમાન અનુસાર કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વસ્તીનું પ્રમાણ સ્થિર રહેશે.

-> વસ્તીમાં ઘટાડાનું કારણ બનેલા પરિબળો :

-પ્રજનન દરમાં ઘટાડોઃ વિકસિત દેશોમાં પ્રજનન દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે વસ્તીમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે.
-સ્થળાંતર: લોકો વધુ સારી તકોની શોધમાં એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરી રહ્યા છે, જેના કારણે વસ્તી અસંતુલન થાય છે.
-વૃદ્ધ વસ્તી: ઘણા દેશોમાં, યુવાનોની વસ્તીનો અભાવ અને વૃદ્ધ લોકોની વધતી સંખ્યા વસ્તીના ઘટાડાને વેગ આપી રહી છે.

-> નિષ્ણાતોના અભિપ્રાય :- વોશિંગ્ટન યુનિવર્સિટીના શિક્ષણવિદો દ્વારા 2020ના અભ્યાસ મુજબ, વસ્તીમાં ઘટાડો અગાઉના વિચાર કરતાં વધુ ઝડપથી થઈ શકે છે, ખાસ કરીને ચીન અને ભારતમાં. આ ઘટાડો વૈશ્વિક સ્તરે આર્થિક અને સામાજિક પડકારો લાવી શકે છે.

Related Posts

મોરબી 2026 : મોરબીના ગામમાં કૂવાનું પાણી સતત હલતું રહેતાં ચકચાર, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

મોરબી જિલ્લાના એક ગામમાં કૂવાનું પાણી સતત હલતું રહેવાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું છે. જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે વૈજ્ઞાનિક તપાસના આદેશ આપ્યા છે. મોરબીના ગામમાં કૂવાનું પાણી સતત હલતું રહેતાં ચકચાર, કલેક્ટરે તપાસના આદેશ આપ્યા B india મોરબી : ગુજરાતના મોરબી જિલ્લામાં એક અનોખી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. જિલ્લાના એક ગામમાં આવેલા કૂવામાં પાણી સતત હલતું રહેતું હોવાનું જોવા મળતાં ગ્રામજનોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા ફેલાઈ છે. સામાન્ય રીતે કૂવાનું પાણી સ્થિર રહે છે, પરંતુ અહીં પાણીમાં સતત હલચલ જોવા મળતાં લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને મોરબીના જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ…

Shocking News Fatal Crash અતીક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત : અતીક અહેમદ : અતીક અહેમદના પુત્ર અબાન અહેમદનું માર્ગ અકસ્માતમાં મોત, ઝાંસી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાઈ

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં માફિયા અતીક અહેમદના પુત્ર અબાન અહેમદ સહિત બે લોકોના મોત થયા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જાણો સમગ્ર ઘટનાક્રમ. જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતીક અહેમદના પુત્ર અબાન અહેમદનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ B indiaઉત્તર પ્રદેશ :ઉત્તર પ્રદેશમાંથી એક દુઃખદ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહેમદના પુત્ર અબાન અહેમદનું ઝાંસી જિલ્લામાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોત થયું છે. મળતી માહિતી મુજબ અબાન અહેમદ પોતાના કેટલાક સાથીદારો સાથે જેલમાં બંધ પોતાના મોટા ભાઈને મળવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ઝાંસી જિલ્લાના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે નેશનલ હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *