HMPV વાયરસ છે સામાન્ય, WHOએ કહ્યું, ડરવાની જરૂર નથી…

HMPV પર વિશ્વ આરોગ્ય સંગઠનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. WHO એ તેને એક સામાન્ય વાયરસ ગણાવ્યો છે. WHOએ કહ્યું છે કે, HMPV એટલે કે હ્યુમન મેટાન્યૂમોવાયરસ નવો નથી. તેની ઓળખ 2001 માં જ થઈ હતી. તે ઘણા સમયથી લોકોમાં હાજર છે જે શિયાળાની ઋતુમાં વધે છે.ઉલ્લેખનિય છે કે, ચીનમાં HMPV ના ઘણા કેસ નોંધાયા હતા. ત્યારબાદ ભારતમાં પણ તેના દર્દીઓ જોવા મળવા લાગ્યા છે. આવી સ્થિતિમાં લોકોની ચિંતા વધી ગઈ હતી. વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આ વાયરસ પણ કોરોનાની જેમ વિનાશ સર્જી શકે છે.

હવે WHO એ પણ આ સ્પષ્ટ કરી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે, HMPV એ કોઈ નવો વાયરસ નથી. તેની ઓળખ 2001 માં થઈ હતી અને તે લાંબા સમયથી લોકોમાં હાજર છે. આ એક સામાન્ય વાયરસ છે જે શિયાળા અને વસંત ઋતુમાં ફેલાય છે. આમાં શ્વાસ લેવામાં તકલીફ અને સામાન્ય શરદી જેવી ફરિયાદો શામેલ હોઈ શકે છે.

આપને જણાવી દઈએ કે, ભારતમાં અત્યાર સુધીમાં HMPV ના નવ કેસ નોંધાયા છે. બુધવારે સવારે મહારાષ્ટ્રમાં નવમો કેસ નોંધાયો હતો. જ્યાં હિરાનંદાની હોસ્પિટલમાં 6 મહિનાની બાળકીમાં ચેપ જોવા મળ્યો હતો. આગાઉ નાગપુરમાં પણ બે કેસ નોંધાયા હતા. આ વાયરસનો પહેલો કેસ કર્ણાટકમાં નોંધાયો હતો. ત્યાં બે કેસ નોંધાયા, તમિલનાડુમાં બે અને પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયા છે.

Related Posts

જગન્નાથ રથયાત્રા ૧૪૯: અમદાવાદ ફરી ભક્તિના રંગે રંગાશે, તૈયારીઓ પૂરજોશમાં!

ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર: અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા માટે જમાલપુરનું જગન્નાથ મંદિર સજ્જ! અમદાવાદ: અષાઢી બીજનો દિવસ એટલે આખા દેશમાં ભગવાન જગન્નાથના ભક્તો માટે ઉત્સવનો દિવસ. જ્યારે પુરીના દરિયાકિનારે ભક્તોનો મેળાવડો…

ગુજરાતમાં મેઘમહેર: ૨૦ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, ખેડૂતોમાં હર્ષનો માહોલ!

ગુજરાત પર મેઘરાજાની કૃપા: ૨૦ જિલ્લાઓમાં તોફાની વરસાદનું એલર્ટ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત! ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ વાતાવરણે પલટો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *