આખરે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યુ કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી

આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. આ જ કારણ છે કે ભાગલા પછીથી બંને દેશો વચ્ચે 4 યુદ્ધો થયા છે, પરંતુ દરેક વખતે પાકિસ્તાનને ભારતના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પણ ભારતે પાકિસ્તાનને તેના નાપાક ઈરાદાઓને કારણે પાઠ ભણાવ્યો છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જો કે, પાકિસ્તાને અત્યાર સુધી એ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો કે ભારતે ક્યારેય કોઈ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.

હવે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યું છે કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાની પત્રકાર નાઝીમ સેઠીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્વીકાર્યું હતું કે ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ ઈન્ટરવ્યુનો એક નાનો ભાગ X (અગાઉ ટ્વિટર) પર પાક અનટોલ્ડ નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે સર્જિકલ સ્ટ્રાઈકની કબૂલાત કરી છે.સર્જિકલ સ્ટ્રાઈક સ્વીકારતા પહેલા નાઝીમ સેઠીએ કહ્યું હતું કે પાકિસ્તાને તાજેતરના સમયમાં જે રીતે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું છે અને તે બધા ભારતને કારણે છે.

-> પાકિસ્તાની સેના ભારત પાસેથી શીખીઃ નાઝીમ શેઠી :- તેઓએ પોતાના નિવેદનમાં કહ્યું પાકિસ્તાની સેના ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાંથી શીખી અને તેના પગલે ચાલીને અફઘાન સેનાને પાઠ ભણાવવાના ઉદ્દેશ્યથી હવાઈ હુમલા કર્યા. આ રીતે અમે તેમના કેટલાક મહત્વના નેતાઓને મારી નાખ્યા.

-> ભારતે કરી હતી સર્જિકલ સ્ટ્રાઇક :- પાકિસ્તાન અને આતંકવાદીઓએ વર્ષ 2016માં 16 સપ્ટેમ્બરના દિવસે એક કાયરતા પૂર્ણ હરકત કરી હતી. આંતકવાદીઓ સુઇ રહેલા ભારતીય જવાનો પર હુમલો કરી દીધો હતો, અને સેનાના કેમ્પમાં 18 જવાન શહીદ થઇ ગયા હતા, અને ભારતીય સેનાએ 11 દિવસ બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરીને આનો બદલો લઇ લીધો હતો.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *