ઓવૈસીએ કહ્યું ‘વડાપ્રધાન મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઇ અર્થ નથી’ આપી આ સલાહ

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઈ અર્થ નથી અને સરકારે હાલની મસ્જિદો અથવા દરગાહને લઈને કોર્ટમાં કરવામાં આવતા દાવાઓને રોકવા જોઈએ તેને રોકવા માટે પગલાં લેવા જોઈએ.

અસદુદ્દીન ઓવૈસીએ પત્રકારોને કહ્યું કે ચાદર મોકલવા પાછળનો સંદેશ એ છે કે સરકાર મસ્જિદોમાં માનનારાઓની ચિંતા કરે છે, પરંતુ ભાજપ અને સંઘ પરિવારના લોકો કોર્ટમાં જઈને કહે છે કે ખ્વાજા અજમેર દરગાહ નથી, અને આવોજ તર્ક તેમનો અન્ય કેટલીક મસ્જિદો બાબતે પણ છે.

-> ઓવૈસીએ મોદી સરકારને આપી સલાહ :- AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સરકારનું અસલી કામ આવા દાવાઓને ખતમ કરવાનું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે અજમેર દરગાહ ખાતે સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ‘ઉર્સ’ પર વડા પ્રધાન મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર અર્પણ કરી હતી.

જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘ચાદર’ મોકલવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઓવૈસીએ કહ્યું કે ભાજપ અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા લોકો એવા દાવા સાથે દેશમાં ઘણી જગ્યાએ ખોદકામની માંગણી સાથે કોર્ટમાં જઈ રહ્યા છે કે વર્તમાન મસ્જિદ કે દરગાહ કોઈ મસ્જિદ કે દરગાહ નથી. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન ઈચ્છે તો આ બધી બાબતો બંધ થઈ જશે.” ઓવૈસીએ કહ્યું કે મસ્જિદો સાથે જોડાયેલા આવા સાતથી વધુ મુદ્દા ભાજપ શાસિત ઉત્તર પ્રદેશના છે.

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *