ઓવૈસીએ કહ્યું ‘વડાપ્રધાન મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઇ અર્થ નથી’ આપી આ સલાહ

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઈ અર્થ નથી અને સરકારે હાલની મસ્જિદો અથવા દરગાહને લઈને કોર્ટમાં કરવામાં આવતા દાવાઓને રોકવા જોઈએ તેને રોકવા માટે પગલાં લેવા જોઈએ.

અસદુદ્દીન ઓવૈસીએ પત્રકારોને કહ્યું કે ચાદર મોકલવા પાછળનો સંદેશ એ છે કે સરકાર મસ્જિદોમાં માનનારાઓની ચિંતા કરે છે, પરંતુ ભાજપ અને સંઘ પરિવારના લોકો કોર્ટમાં જઈને કહે છે કે ખ્વાજા અજમેર દરગાહ નથી, અને આવોજ તર્ક તેમનો અન્ય કેટલીક મસ્જિદો બાબતે પણ છે.

-> ઓવૈસીએ મોદી સરકારને આપી સલાહ :- AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સરકારનું અસલી કામ આવા દાવાઓને ખતમ કરવાનું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે અજમેર દરગાહ ખાતે સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ‘ઉર્સ’ પર વડા પ્રધાન મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર અર્પણ કરી હતી.

જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘ચાદર’ મોકલવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઓવૈસીએ કહ્યું કે ભાજપ અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા લોકો એવા દાવા સાથે દેશમાં ઘણી જગ્યાએ ખોદકામની માંગણી સાથે કોર્ટમાં જઈ રહ્યા છે કે વર્તમાન મસ્જિદ કે દરગાહ કોઈ મસ્જિદ કે દરગાહ નથી. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન ઈચ્છે તો આ બધી બાબતો બંધ થઈ જશે.” ઓવૈસીએ કહ્યું કે મસ્જિદો સાથે જોડાયેલા આવા સાતથી વધુ મુદ્દા ભાજપ શાસિત ઉત્તર પ્રદેશના છે.

Related Posts

Awarapan 2 ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ હિંસા અને ડ્રગ્સના દ્રશ્યોમાં કરાયા મોટા ફેરફાર Strict Directive.

Awarapan 2ને CBFCનું UA 16+ સર્ટિફિકેટ: રિલીઝ પહેલાં ફિલ્મમાં કરાયા ફેરફાર, હિંસા અને ડ્રગ્સ સીન પર નજર ઇમરાન હાશ્મીની Awarapan 2ને CBFC તરફથી UA 16+ સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મમાં હિંસા અને ડ્રગ્સ સંબંધિત કેટલાક દૃશ્યોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘Awarapan 2’ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલાં જ ચર્ચામાં આવી છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી UA 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થયો છે. જોકે, સર્ટિફિકેશન પ્રક્રિયા દરમિયાન ફિલ્મના કેટલાક દૃશ્યો અને કન્ટેન્ટમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.‘Awarapan 2’ ઇમરાન હાશ્મીના ચાહકો માટે ખાસ ફિલ્મ છે, કારણ કે તેમાં તેઓ ફરી એકવાર શિવમ પંડિતના પાત્રમાં જોવા મળશે.…

India’s Iconic Desert Zoo & Night Safari: ડીસા ખાતે Epic Clash ₹542 કરોડનો ‘ડેઝર્ટ ઝૂ’ પ્રોજેક્ટ મંજૂર

Juna Deesa Desert Zoological Park: ₹542.14 કરોડના પ્રોજેક્ટને Central Zoo Authorityની મંજૂરી Night Safari ગુજરાતના પ્રવાસન અને વન્યજીવ ક્ષેત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના જુના ડીસા ખાતે ₹542.14 કરોડના Desert Zoological Park અને Night Safari પ્રોજેક્ટને Central Zoo Authority (CZA)ની મંજૂરી મળી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ અને પ્રવાસન વિકાસને નવી દિશા આપનાર પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. પ્રસ્તાવિત Juna Deesa Desert Zoological Park આશરે 103 હેક્ટર સરકારી જમીન પર વિકસાવવાનો છે. રણપ્રદેશની ભૌગોલિક અને કુદરતી વિશેષતાઓને ધ્યાનમાં રાખીને અહીં વન્યજીવો માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાની સાથે પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. ₹542.14 કરોડના પ્રોજેક્ટથી શું બદલાશે? જુના ડીસા ખાતે વિકસનારો આ પ્રોજેક્ટ માત્ર સામાન્ય ઝૂ પૂરતો મર્યાદિત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *