છોટા ઉદેપુરમાં રુંજિયા રીપેન્સની નવી વરાયટીની શોધ,Gujaratની જૈવ-વિવિધતામાં થયો મહત્વપૂર્ણ ઉમેરો
ગાંધીનગર: Gujaratની સમૃદ્ધ જૈવ-વિવિધતામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગીર ફાઉન્ડેશન)ના સંશોધકોએ છોટા ઉદેપુર જિલ્લામાંથી ‘રુંજિયા રીપેન્સ’ છોડની સફેદ ફૂલોવાળી નવી વરાયટીની ઓળખ કરી છે. આ નવી વરાયટીનું નામ ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ (Rungia repens var. alba) રાખવામાં આવ્યું છે.
આ નવી વનસ્પતિની ઓળખ છોટા ઉદેપુર જિલ્લામાં નર્મદા કેનાલ કમાન્ડ એરિયામાં જૈવ-વિવિધતાના અભ્યાસ દરમિયાન થઈ હતી. ખાસ કરીને સફેદ રંગના ફૂલો અને છોડની કેટલીક વિશિષ્ટ આકારશાસ્ત્રીય લાક્ષણિકતાઓને કારણે આ છોડ સામાન્ય રીતે જોવા મળતા રુંજિયા રીપેન્સથી અલગ હોવાનું સંશોધકોના વિગતવાર અભ્યાસમાં સામે આવ્યું છે.

-> વન અને પર્યાવરણ મંત્રીએ સંશોધકોને અભિનંદન પાઠવ્યા : વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ આ શોધને Gujaratની વનસ્પતિ વૈવિધ્ય માટે મહત્વપૂર્ણ ગણાવી ગીર ફાઉન્ડેશનના સંશોધકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ નામમાં ‘આલ્બા’ શબ્દ છોડના સફેદ રંગના ફૂલોનો સંદર્ભ આપે છે.
મંત્રીશ્રીના જણાવ્યા મુજબ મધ્ય Gujarat અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ‘નર્મદા કેનાલ સિસ્ટમની પર્યાવરણ અને ઇકોલોજી—જૈવ-વિવિધતા, માટી અને પાણીની ગુણવત્તા—પર અસર’ પ્રોજેક્ટ હેઠળ વિવિધ પ્રકારના અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. આ જ સંશોધન પ્રક્રિયા દરમિયાન છોટા ઉદેપુરમાં આ નવી વરાયટીની નોંધ થઈ હતી.વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીએ પણ આ સંશોધનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર રાજ્યના વન વિભાગ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વનસ્પતિ સૃષ્ટિના સંરક્ષણ માટે વિવિધ સંશોધન અને સંરક્ષણલક્ષી પહેલ કરવામાં આવી રહી છે. આવા અભ્યાસોથી Gujaratમાં રહેલી જૈવ-વિવિધતાની સમૃદ્ધિ અંગે વધુ જાણકારી મળે છે અને ભવિષ્યમાં તેના સંરક્ષણ માટે નવી દિશા મળે છે.
-> ત્રણ પરિપક્વ છોડની નોંધ : ગીર ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતિ (IFS)એ જણાવ્યું હતું કે જૈવ-વિવિધતાના સર્વે દરમિયાન સંશોધકોએ છોટા ઉદેપુર જિલ્લામાં આ નવી વરાયટીના ત્રણ પરિપક્વ છોડની નોંધ કરી હતી. સંશોધન માટે છોડનો નમૂનો એકત્રિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી સૂકવીને ગીર ફાઉન્ડેશન હર્બેરિયમ (GEERF) ખાતે જમા કરવામાં આવ્યો છે.વનસ્પતિની નવી વરાયટીની ઓળખ માટે માત્ર દેખાવના આધારે નિર્ણય લેવામાં આવ્યો નથી. સંશોધકોએ રુંજિયા રીપેન્સના અગાઉથી ઉપલબ્ધ નમૂનાઓ સાથે તેની વિગતવાર સરખામણી કરી હતી. છોડની રચના, ફૂલ, બ્રેક્ટ્સ અને ફ્લાવર સ્પાઇક્સ સહિત વિવિધ આકારશાસ્ત્રીય લક્ષણોનું પરીક્ષણ કર્યા બાદ તેને નવી વરાયટી તરીકે ઓળખવામાં આવી છે.
સંશોધન ટીમ સાથે જોડાયેલા ડૉ. રાજકુમાર યાદવે જણાવ્યું હતું કે સામાન્ય રીતે જોવા મળતા રુંજિયા રીપેન્સ છોડમાં વાદળી-જાંબલી રંગના ફૂલો જોવા મળે છે. જ્યારે નવી ઓળખાયેલી ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’માં એકદમ સફેદ કોરોલા એટલે કે ફૂલની પાંખડીઓ જોવા મળે છે.આ ઉપરાંત નવી વરાયટીમાં મધ્યમ કદના ફ્લાવર સ્પાઇક્સ તથા લીલાશ પડતા સફેદ પોઇન્ટેડ ટિપ્સ ધરાવતા નાના બ્રેક્ટ્સ જોવા મળ્યા છે. આ લક્ષણો સામાન્ય રુંજિયા રીપેન્સના સ્વરૂપથી અલગ છે.આ છોડના ફૂલ આવવાનો સમયગાળો પણ નોંધપાત્ર છે. નવી વરાયટીમાં ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ફૂલો આવે છે, જ્યારે મે અને જૂન દરમિયાન ફળ આવવાનો સમયગાળો નોંધાયો છે. બીજી તરફ સામાન્ય રુંજિયા રીપેન્સમાં ઓગસ્ટથી જાન્યુઆરી સુધી ફૂલ આવવાનો સમયગાળો નોંધાયેલો હોવાનું સંશોધકોએ જણાવ્યું છે.

-> વિગતવાર મોર્ફોલોજિકલ પરીક્ષણથી ઓળખ : ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક અમિતકુમાર નાયક (IFS)એ જણાવ્યું હતું કે હાલના રુંજિયા રીપેન્સના નમૂનાઓ સાથે નવી વરાયટીના છોડનું બારીકાઈથી મોર્ફોલોજિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સરખામણી દરમિયાન સફેદ ફૂલોવાળા છોડમાં સામાન્ય વાદળી ફૂલોવાળા સ્વરૂપની સરખામણીએ કેટલાક સ્પષ્ટ આકારશાસ્ત્રીય તફાવતો જોવા મળ્યા હતા.આ વૈજ્ઞાનિક અભ્યાસના આધારે આ છોડને રુંજિયા રીપેન્સની નવી વરાયટી તરીકે ઓળખ આપવામાં આવી છે. આ શોધને ફોરેસ્ટ્રી ક્ષેત્રના જૂના આંતરરાષ્ટ્રીય જર્નલ ‘ઇન્ડિયન ફોરેસ્ટર’માં પ્રકાશન માટે સ્વીકારવામાં આવી હોવાનું પણ સંશોધન ટીમે જણાવ્યું છે.
આ સંશોધનના સંદર્ભમાં ગીર ફાઉન્ડેશન હર્બેરિયમની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની છે. ગીર ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતિ (IFS)ના જણાવ્યા મુજબ, તાજેતરમાં ગીર ફાઉન્ડેશન હર્બેરિયમને ધ ન્યૂયોર્ક બોટનિકલ ગાર્ડન (NYBG) દ્વારા હોસ્ટ અને પ્રકાશિત કરવામાં આવતા ‘ઇન્ડેક્સ હર્બેરિયોરમ’ મારફતે સત્તાવાર GEERFH એક્રોનિમ આપવામાં આવ્યું છે.આ આંતરરાષ્ટ્રીય રજિસ્ટ્રીના કારણે વિશ્વભરના સંશોધકો ગીર ફાઉન્ડેશનના હર્બેરિયમ સંગ્રહને સરળતાથી શોધી, સંદર્ભિત અને વૈજ્ઞાનિક સંશોધનમાં ટાંકી શકશે. હર્બેરિયમમાં એકત્રિત કરવામાં આવેલા વનસ્પતિ નમૂનાઓ નવી વનસ્પતિ શોધોના દસ્તાવેજીકરણ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
-> નર્મદા કેનાલ વિસ્તારમાં સતત સંશોધનની જરૂરિયાત : અગ્ર મુખ્ય વનસંરક્ષક (વન્યજીવ) ડૉ. જયપાલ સિંહે જણાવ્યું હતું કે ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ની ઓળખ Gujaratની જૈવિક સમૃદ્ધિમાં નોંધપાત્ર ઉમેરો છે. આ શોધ નર્મદા કેનાલ સિસ્ટમ સાથે જોડાયેલા વિસ્તારોમાં સતત ઇકોલોજીકલ સર્વેક્ષણ અને જૈવ-વિવિધતાના અભ્યાસનું મહત્વ પણ દર્શાવે છે.આ સંશોધન ટીમમાં ગીર ફાઉન્ડેશનના ડૉ. રાજકુમાર યાદવ, નમન નાયક, વિનેશ ગામિત, અમિતકુમાર નાયક (IFS) અને બી.પી. પતિ (IFS)નો સમાવેશ થાય છે.
Gujaratમાં વિવિધ ભૌગોલિક વિસ્તારો, જંગલો, નદીઓ, કેનાલ વિસ્તારો અને અન્ય કુદરતી પર્યાવરણમાં હજુ પણ અનેક વનસ્પતિ અને જીવસૃષ્ટિ અંગે સંશોધનની સંભાવના છે. છોટા ઉદેપુરમાંથી મળેલી આ નવી વરાયટી એ વાતનો સંકેત આપે છે કે સતત વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને દસ્તાવેજીકરણ દ્વારા રાજ્યની જૈવ-વિવિધતાના અનેક નવા પાસાં સામે આવી શકે છે.‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ની શોધ માત્ર એક નવી વનસ્પતિ વરાયટીની ઓળખ પૂરતી મર્યાદિત નથી, પરંતુ Gujaratના કુદરતી વારસાના વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ અને સંરક્ષણ તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. આગામી સમયમાં આવા સંશોધનો રાજ્યની વનસ્પતિ સૃષ્ટિને સમજવા અને તેનું સંરક્ષણ વધુ મજબૂત બનાવવા માટે ઉપયોગી બની શકે છે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





