Gandhinagar માં CIDSCON 2026: AI અને AMR પર નિષ્ણાતોનું મંથન

CIDSCON 2026: Gandhinagar માં ચેપી રોગોના નિષ્ણાતોનું મહામંથન, AI અને AMR પર રહેશે ખાસ ફોકસ 

 

Gandhinagar: ગુજરાતની રાજધાની Gandhinagar માં ચેપી રોગોના નિદાન, સારવાર અને નિવારણને લઈને દેશ-વિદેશના અગ્રણી નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થવા જઈ રહ્યા છે. ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝિસ સોસાયટી (CIDS)ની 16મી વાર્ષિક પરિષદ CIDSCON 2026નું આયોજન 20થી 23 ઓગસ્ટ દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, Gandhinagar ખાતે કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા 22 ઓગસ્ટે પરિષદનું ઉદ્ઘાટન કરશે.CIDSCON 2026માં ભારત ઉપરાંત અમેરિકા અને સિંગાપોર સહિતના દેશોના નિષ્ણાતો, તબીબો, સંશોધકો, માઇક્રોબાયોલોજિસ્ટો અને આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યાવસાયિકો ભાગ લેશે. આ ચાર દિવસીય પરિષદમાં 950થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. ચેપી રોગોના ક્ષેત્રમાં થઈ રહેલા નવા સંશોધન, સારવારની આધુનિક પદ્ધતિઓ અને ઉભરતા પડકારો અંગે નિષ્ણાતો વચ્ચે જ્ઞાનનું આદાન-પ્રદાન થશે.આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા દ્વારા એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અને એન્ટિમાઇક્રોબિયલ સ્ટ્યુઅર્ડશીપ વિષય પર નિષ્ણાતો દ્વારા લખાયેલા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે.
Gandhinagar

->Gandhinagar AI પર ખાસ વર્કશોપ : CIDSCON 2026નું સૌથી મહત્વનું આકર્ષણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર યોજાનાર વિશેષ વર્કશોપ રહેશે. આ વર્કશોપમાં માત્ર લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLM) સુધી મર્યાદિત ન રહેતા તબીબી ક્ષેત્રમાં AIના વિવિધ ઉપયોગો અંગે ચર્ચા કરવામાં આવશે.ખાસ કરીને ચેપી રોગોની તબીબી પ્રેક્ટિસમાં AIનો વ્યવહારુ ઉપયોગ, ક્લિનિકલ નિર્ણય લેવામાં તેની સંભવિત ભૂમિકા અને માનવીય તબીબી નિર્ણય પ્રક્રિયા સાથે તેની સરખામણી જેવા મુદ્દાઓ પર નિષ્ણાતો ચર્ચા કરશે. ભાગ લેનારાઓ માટે પ્રાયોગિક પ્રોજેક્ટ અને સમસ્યા ઉકેલવાની કવાયત પણ યોજાશે.

->Gandhinagar 20 ઓગસ્ટથી વિશેષ વર્કશોપની શરૂઆત: ચાર દિવસીય પરિષદની શરૂઆત 20 ઓગસ્ટે વિવિધ વિશેષ વર્કશોપ સાથે થશે. આ વર્કશોપમાં ચેપી રોગોની તબીબી પ્રેક્ટિસના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવશે. નિષ્ણાતોના સત્રો, કેસ આધારિત ચર્ચાઓ અને પ્રાયોગિક તાલીમ દ્વારા તબીબો અને અન્ય પ્રતિનિધિઓને નવીન માહિતી આપવામાં આવશે.મુખ્ય પરિષદમાં એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, ઉષ્ણકટિબંધીય ચેપ, ક્ષયરોગ (TB), HIV, ફૂગજન્ય ચેપ, વાઇરોલોજી, ચેપ નિયંત્રણ અને એન્ટિમાઇક્રોબિયલ સ્ટ્યુઅર્ડશીપ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થશે.આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા દર્દીઓમાં થતા ચેપ, નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, ફેજ થેરાપી અને AI આધારિત ક્લિનિકલ પ્રેક્ટિસ જેવી નવી ટેક્નોલોજી પણ પરિષદના મુખ્ય વિષયોમાં રહેશે.
Gandhinagar

22 ઓગસ્ટે ગુજરાતમાં એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો પર વિશેષ સત્ર યોજાશે. તેમાં ગુજરાત સ્ટેટ AMR સર્વેલન્સ નેટવર્ક (GUJSAR-N), એન્ટિમાઇક્રોબિયલ સ્ટ્યુઅર્ડશીપ કાર્યક્રમના મોનિટરિંગ અને AMR ડેશબોર્ડ દ્વારા લેબોરેટરી ડેટા આધારિત રોગ સર્વેલન્સ અંગે ચર્ચા થશે.પરિષદ દરમિયાન પડકારજનક કેસની ચર્ચા, નિષ્ણાતો સાથે સંવાદ, એવોર્ડ પ્રેઝન્ટેશન, પોસ્ટર રાઉન્ડ તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને ફેલોઝ માટે વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. 23 ઓગસ્ટે વેલેડિક્ટરી સેશન સાથે CIDSCON 2026નું સમાપન થશે.આયોજક સમિતિના અધ્યક્ષ ડૉ. અતુલ કે. પટેલ, સહ-આયોજક અધ્યક્ષ ડૉ. હર્ષ તોશનીવાલ અને આયોજક સચિવ ડૉ. સુરભી મદનના નેતૃત્વ હેઠળ યોજાનારી આ પરિષદ ચેપી રોગોની સારવાર, સંશોધન અને આધુનિક તબીબી ટેક્નોલોજીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ચર્ચા માટેનું મંચ બનશે.

Related Posts

CM ભૂપેન્દ્ર પટેલની અમેરિકાના વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી…

અમેરિકાના વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી: CM ભૂપેન્દ્ર પટેલની અમેરિકી યાત્રાનો મહત્વપૂર્ણ તબક્કો   ગુજરાતના CM  ભૂપેન્દ્રભાઈ પટેલના અમેરિકા પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન ડીસીથી ન્યૂયોર્ક સુધીની ટ્રેન મુસાફરીનો એક મહત્વપૂર્ણ તબક્કો સામે આવ્યો છે. અમેરિકાના વિવિધ શહેરોમાં ગુજરાત માટે રોકાણ, ટેક્નોલોજી, ઉદ્યોગ અને વૈશ્વિક સહયોગની તકો અંગે બેઠકો કર્યા બાદ ડેલિગેશન હવે ન્યૂયોર્ક તરફ આગળ વધ્યું છે.CM ના અમેરિકા પ્રવાસ દરમિયાન ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે વધુ આકર્ષક ડેસ્ટિનેશન બનાવવા તેમજ ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે નવી ભાગીદારી વિકસાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રવાસમાં સાન ફ્રાન્સિસ્કો અને વોશિંગ્ટન ડીસી બાદ ન્યૂયોર્કની મુલાકાત પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. –> વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેન સફર : વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્ક અમેરિકાના મહત્વપૂર્ણ શહેરો છે. બંને શહેરો વચ્ચે…

સુભાષબ્રિજ RTO માં મોટો ફ્લોપ શો! કાર ટેસ્ટમાં માત્ર 25% જ પાસ!

AHMEDABAD : ના સુભાષબ્રિજ RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની પરીક્ષા હવે અરજદારો માટે વધુ પડકારજનક બની રહી છે. ખાસ કરીને ફોર-વ્હીલર એટલે કે કારની ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ જ્યાં આશરે 40 ટકા અરજદારો કારની ડ્રાઇવિંગ ટેસ્ટમાં સફળ થતા હતા, ત્યાં નવા અત્યાધુનિક અને AI આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ પાસ થવાનો દર અંદાજે 20થી 25 ટકા સુધી ઘટ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુભાષબ્રિજ ખાતે નવા RTO અને આધુનિક ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. નવી સિસ્ટમનો મુખ્ય હેતુ ડ્રાઇવિંગ ટેસ્ટને વધુ પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને સચોટ બનાવવાનો છે. AI આધારિત પ્રક્રિયામાં ટેસ્ટ દરમિયાન RFID, કેમેરા અને ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ…